सीधे मुख्य सामग्री पर जाएं

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી 
નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !
વડાપ્રધાનના પ્રવાસ પહેલા ચાર દિવસ અગાઉથી જ પોલીસ પોલીસ બંદોબસ્તની કસરત શરુ થઈ જાય છે. આશરે 4000 જેટલો પોલીસ ફોર્સ રોકાઈ રહે છે. પોલીસ/ વહિવટીતંત્ર/ કાર્યક્રમોના આયોજન પાછળ ઓછામાં ઓછા 25 કરોડનો ધૂમાડો થઈ જાય છે. દેશના 80 કરોડ લોકો સરકારી અનાજ પર જીવે છે, તેઓ બીજી ચીજવસ્તુઓ પર GST ચૂકવે છે, એટલે વડાપ્રધાનનો બાદશાહી ખર્ચ તો જનતાની કેડ પર જ હોય છે. સવાલ એ છે કે કરોડો-કરોડાના મહાભવ્ય કાર્યક્રમોના બદલામાં ગુજરાતને મળે છે શું?
ગુજરાતને મળે છે નવું નકોર જૂઠ ! વડાપ્રધાને કહ્યું હતું : “ભારત જે રીતે નવા સંકલ્પો સાથે કામ કરી રહ્યું છે, તે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. દુનિયામાં દરેક વ્યક્તિ ભારત અને ભારતીયોનું ખુલ્લા દિલે સ્વાગત કરે છે. દરેક વ્યક્તિ ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. વિશ્વના લોકો કટોકટીના સમયે સમાધાન માટે ભારત તરફ જુએ છે. વિશ્વની અપેક્ષાઓમાં વધુ વધારો થયો છે, કારણ કે ભારતની જનતાએ સતત ત્રીજી વખત સ્થિર સરકાર બનાવી છે. જેમ જેમ કુશળ યુવાનોની માગ વધે છે, તેમ તેમ ખેડૂતો અને યુવાનો વિશ્વાસ વધારવાનાં સીધા લાભાર્થી છે. વિશ્વાસમાં વધારો નિકાસમાં વધારો કરે છે અને વિદેશી રોકાણકારો માટે તકો ઉભી કરે છે…એક તરફ દેશનો દરેક નાગરિક પોતાના દેશની તાકાતને પ્રોત્સાહન આપવા સાથે સમગ્ર દુનિયામાં ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા ઇચ્છે છે, ત્યારે દેશમાં કેટલાંક નકારાત્મકતા ધરાવતાં લોકો તેનાથી તદ્દન વિપરીત કામ કરી રહ્યાં છે. આવા લોકો દેશની એકતા પર હુમલો કરી રહ્યા છે. સત્તાના ભૂખ્યા લોકોનો એક ચોક્કસ વર્ગ ભારતના ટુકડા કરવા માંગે છે. આવા વિભાજનકારી તત્ત્વોથી સાવધ રહો. અને આવા લોકોથી સાવચેત રહો.” (pmindiaની સરકારી યાદી મુજબ)
કેવું અને કેટલું જૂઠ ! ક્યા નવા સંકલ્પો? મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે? બળાત્કારીઓ/ હત્યારાઓનું કંકુ-તિલકથી સન્માન કરે તે? સુપ્રિમકોર્ટના જજ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોની બૂમો પાડે તે? મહાભ્રષ્ટાચારીઓ સામેના CBI/ED/ITના કેસો પરત ખેંચી તેમને CM/ નાયબ CM બનાવે તે? કાળા નાણાથી રાજ્ય સરકારો ગબડાવે તે? ગરીબ દેશના વડાપ્રધાન રેલી દીઠ 25 કરોડથી વધુ ખર્ચ કરે તે? શિક્ષણનું ખાનગીકરણ કરે તે? લોકો આર્થિક કારણોસર સામૂહિક આત્મહત્યા કરે તે? આદિવાસીઓને જંગલોથી દૂર કરી કોર્પોરેટ કંપનીને શોષણ માટે સોંપી દે તે? શું આવા સંકલ્પોનું મહિમામંડન કરી શકીય? ‘વિશ્વના લોકો કટોકટીના સમયે સમાધાન માટે ભારત તરફ જુએ છે’ શું આ મિથ્યાભિમાન નથી? ક્યાં સુધી આવા પંપ માર્યા કરશો? ત્રીજી વખત સરકાર બની તેથી ખેડૂતો અને યુવાનોને શું લાભ થયો? શું બેરોજગારી ઘટી? ખેડૂતોને MSPનો હક્ક મળ્યો? લોકશાહીમાં સરકારની નીતિઓની આલોચના વિપક્ષ કરે એટલે તે નકારાત્મક થઈ જાય? દેશની એકતા પર હુમલો કરનારા થઈ જાય? સત્તા ભૂખ્યાં થઈ જાય? ભારતના ટુકડા કરનારા થઈ જાય? નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? આવું બધું જૂઠ સરકારી યાદી દ્વારા વહેતું કરવાનું? સરકારી ખર્ચે કાર્યક્રમ યોજવાનો અને સરકારી મશીનરી દ્વારા વિપક્ષનું ચરિત્રહનન કરવાનું? 
વડાપ્રધાન ભલે બાદશાહી ખર્ચા કરે; નફરત અને ધર્મના આધારે સત્તા સોંપનાર લોકોને ડામ પડે તેમાં જાહેરહિત સમાયેલું છે. આટલા હલકા/ જૂઠ્ઠા વડાપ્રધાન બીજા કોઈ નહીં મળે. લોકોએ સહન કર્યા વિના છૂટકો નથી. થોર વાવ્યો છે એટલે કાંટા વાગશે જ ! સવાલ એ છે કે આવા ખર્ચા કરીને જૂઠ જ પીરસવાનું હોય તો એનાથી દેશની છબિ ખરડાય નહીં?

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,