सीधे मुख्य सामग्री पर जाएं

મહાત્માગાંધીની ભારતવર્ષની આઝાદી માટેની ત્રિસુત્રી અહિંસક પ્રેમમય સહજીવનની ઉત્ક્રાંતિ

- ઉત્તમ પરમાર* 

ભારતીય આઝાદીનું વિશ્વભરમાં સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો તે એ છે કે ભારતીય આઝાદી સૈનિકશક્તિ નિર્માણ કરીને નહીં પરંતુ નાગરિક ચેતનાનું નિર્માણ કરીને મેળવેલી આઝાદી છે.
ભારતીય આઝાદી પહેલા વિશ્વભરમાં જેટલા પણ આઝાદીના સંગ્રામ ખેલાયા છે તે બધા જ સૈનિકશક્તિ પર નિર્ભર હતા , જ્યારે માત્ર ભારતીય સ્વાતંત્ર સંગ્રામ એ પોતાની ગુલામ રૈયત પ્રજાનું નાગરિક ચેતનામાં રૂપાંતર કરાતા ઉપલબ્ધ થયેલી આઝાદી છે. 
મહાત્માગાંધીને દક્ષિણઆફ્રિકામાં પીટર મેરીટ્સબર્ગના સ્ટેશન પર પોતાના અપમાનના થયેલા સાક્ષાત્કારને જોયા પછી સમજાયું હતું કે કોઈપણ વ્યક્તિ અને કોઈ પણ સમાજ કે કોઈપણ દેશ પોતાની જાતે જ ગુલામ બને છે. એની બીજી કોઈપણ સત્તા ગુલામ બનાવી શકતું નથી.
મહાત્મા ગાંધીએ ભારતમાં આવ્યા પછી એક વર્ષ સુધી મુગે મોઢે કરેલા ભારત દર્શન પછી સમજાયું હતું કે આપણા દેશમાં 
૧. સ્ત્રી પુરુષ સહજીવનનો અભાવ જોવા મળે છે 
૨. બધી જાતિઓ વચ્ચેના સહજીવનનો અભાવ જોવા મળે છે. 
૩. બધા ધર્મો વચ્ચેના સહજીવન નો અભાવ જોવા મળે છે.
મહાત્મા ગાંધીએ જોયું કે ભારતના સમાજ જીવનમાં 50% સ્ત્રીઓની કોઈ ભાગીદારી કે કોઈ અધિકાર જોવા મળતા નથી... ભારતના સમાજ જીવનમાં 85% બહુજન વર્ગોની કોઈ સામાજિક ભાગીદારી કે અધિકાર જોવા મળતા નથી... ભારતના સમાજ જીવનમાં ધાર્મિક અલ્પસંખ્યક સમાજની કોઈ ભાગીદારી કે અધિકાર જોવા મળતા નથી...
મહાત્મા ગાંધીને સમજાયું કે 50% સ્ત્રીઓની ભાગીદારી ન હોય, 85% બહુજન વર્ગોની કોઈ ભાગીદારી ન હોય અને 15% ધાર્મિક અલ્પસંખ્યકોની કોઈ ભાગીદારી ન હોય તે સમાજ આપોઆપ ગરીબી ગુલામી અને પછાત પણામાં સરી પડે તેમાં કોઈ નવાઈ નથી.
મહાત્મા ગાંધીને સમજાયું કે જ્યાં બહુજન વર્ગો સામાજિક અને રાજકીય ભાગીદારી તથા અધિકારોથી વંચિત છે એવા સમાજમાં માત્ર અને માત્ર અહિંસક પ્રેમ મય નાગરિક સહજીવન શક્તિ નિર્માણ કરવાથી જ આઝાદી પ્રાપ્ત કરી શકાય.
મહાત્મા ગાંધીએ પોતાના સાક્ષાત્કાર અને પોતાની સમજણનો દાર્શનિક પ્રયોગ કરવા માટે સાબરમતી આશ્રમ અમદાવાદ ગુજરાતની પસંદગી કરી...
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાં
1.સ્ત્રીપુરુષના ભેદભાવ વગરનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરૂ કર્યું.
2. દલિતથી લઈને બ્રાહ્મણ સુધીની વિવિધ પ્રાંતની વિવિધ  ભાષાની વિવિધ દેશની જાતિઓનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરૂ કર્યું.
3. ભારત અને વિશ્વભરના વિવિધ સાંપ્રદાયિક ધર્મના પ્રતિનિધિઓનું પ્રેમમય સહજીવન નિર્માણ કરવાનું શરુ કર્યું.
મહાત્માગાંધીના આ ત્રિસુત્રી અહિંસક પ્રેમમય સહજીવનના પ્રયોગે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી સમગ્ર રાષ્ટ્રમાં લોકો વચ્ચે " અહિંસક પ્રેમમય સહજીવન"ની સામાજિક આબોહવાનું સર્જન કર્યું અને આખો ભારતીય સમાજ પ્રેમમય સહજીવન માટે આંદોલિત થઈ ઉઠ્યો.
મનુસ્મૃતિની ચતુરવર્ણ વ્યવસ્થાને કારણે જે ભારતીય સમાજ ધાર્મિક, સામાજિક ,આર્થિક ,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ખંડ ખંડમાં વિભાજીત થઈને ગરીબ ગુલામ રૈયત તરીકે હજારો ટુકડામાં ખતવાઇ ગયો હતો તે સમાજ નાગરિક ચેતના પ્રાપ્ત કરીને પોતાના નાગરિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતા માટે તત્પર થઈ ઊઠ્યો.
મહાત્મા ગાંધીએ હજારો વર્ષથી ગરીબ ગુલામ અને નિર્માલ્ય થયેલી ભારતીય રૈયતને નિષ્ફળ કહેવાતા હિંસક ક્રાંતિકારીઓની જેમ સશસ્ત્ર યુદ્ધને રવાડે નથી ચડાવ્યા પરંતુ એ જ કરોડો રૈયતી માનસિકતા ધરાવતા ગરીબ ગુલામ અને નિલામાલ્ય લોકોમાં નાગરિક શક્તિ જગાડી અને તેઓને એકમેક સાથે અહિંસક પ્રેમમય સહજીવન જીવતા કર્યા.
હજારો વર્ષથી મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાને કારણે અનેક જાતિ પેટા જાતિઓમાં માઈક્રોલેવલ સુધી વિભાજીત વિઘટિત અને એકમેકના દુશ્મન બની બેઠેલા લોકો મહાત્મા ગાંધીની ક્રાંતિકારી અહિંસક પ્રેમમય સહજીવનની ત્રિસુત્રી ઉત્ક્રાંતિને કારણે અહિંસક પ્રેમમય સહજીવન જીવતી નાગરિક પ્રજામાં રૂપાંતર થઈ ગયા અને જેની ફળશ્રુતિ રૂપે આપણે આઝાદ થઈ ગયા.
આજે આપણે સમાન મતાધિકાર, સમાન અધિકાર અને સમાન ભાગીદારી સાથે જનવાદી આઝાદીનો ભોગવટો છેલ્લા 75 વર્ષથી કરી રહ્યા છે તે મહાત્મા ગાંધીની અહિંસક પ્રેમમય સહજીવનની ત્રિસુત્રી ઉત્ક્રાંતિનું પરિણામ છે.
મહાત્મા ગાંધીના આજના જન્મદિવસે મહાત્મા ગાંધીના હૃદય સન્મુખ કોટી કોટી વંદન.
---
*કોંગ્રેસપુત્ર

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,