सीधे मुख्य सामग्री पर जाएं

નલ સે જલ યોજના અંતર્ગત તમામ ગામોમાં શું કામગીરી થઈ છે? વાસમોની વેબસાઇટ પર જાહેર કરવા માહિતી આયોગનો હુકમ


- પંક્તિ જોગ 
  • રાજ્યના ગ્રામજનો આ યોજના હેઠળ તેમના ગામોમાં થયેલ કામગીરીથી વાકેફ હોય તે માટે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરના ભાગરૂપ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની વર્ષવાર જીલ્લા, તાલુકા, ગામપ્રમાણે થયેલા કામગીરીની વિગતો જાહેર કરવી જરૂરી.
  • પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર તૈયાર કરવા અત્યારસુધી GAD દ્વારા અપાયેલ પરીપત્રોનો WASMO એ અમલ કર્યો નથી.
માહિતી અધિકાર કાયદો નાગરિકોને અધિકાર આપે છે, કે તેઓ જાહેર નાણાંનો હિસાબ અને તેના થકી થયેલા કામોની માહિતી મેળવી શકે. ભરુચના એક અરજદારે WASMO અંતર્ગત વાસમો દ્વારા અમલ થતી જલ જીવન મિશન જલ સે નલ યોજના અંતર્ગત કેટલા ઘરોમાં નળ કનેક્શન મળ્યું? કેટલા તાલુકા, કેટલા ગામોમાં ભૂગર્ભ સંપ, પંપઘરો, અને પાઇપલાઇનનું કામ કરવામાં આવેલ છે? 2019-2023 સુધી આ યોજનામાં કઈ કઈ ગ્રાન્ટની રકમ વાપરી છે? અને આ યોજનમાં જે અજન્સીઓએ કામ કરેલ છે તેના નામ વગેરે 7 મુદ્દાની વિગત 26/5/2023 ના રોજ RTI અરજી થકી વાસ્મો ભરુચ જીલ્લા કચેરીપાસે માંગી હતી. 
અરજદારને ઉપરોક્ત કામગીરી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે, તેવું કારણ દર્શાવી માહિતી પાણી સમિતિઓ પાસેથી લેવામાટે કહ્યું હતું. અરજદારને પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીનું નામ સરનામું વગેરે વિગત પણ આપવામાં આવી ન હતી. અરજદાર દ્વારા જીલ્લામાંજ પ્રથમ અપીલ કરતાં તેમને ગાંધીનગર અપીલ કરવા જણાવવામાં આવ્યું હતું. 
આ બાબતે અરજદારે બીજી અપીલ કરતાં તા. 4/9/2024 ના રોજ માહિતી આયોગ ખાતે બીજી અપીલની સુનાવણી રાખવામા આવી હતી. તેમાં અરજદાર, જાહેર માહિતી અધિકાર અને પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 
ઉપરોક્ત કેસમાં રાજ્ય માહિતી આયોગના માહિતી કમિશ્નર, શ્રી નિખિલ ભટ્ટ દ્વારા એક નોંધપાત્ર ચુકાદો આપવામાં આવ્યો છે. સુનાવણી દરમ્યાન ગુજરાત આયોગે નોંધ્યું કે ‘જલ સે નલ’  યોજનામાં કોઈ નાગરિકને જાણવું હોય કે તેના ગામમાં શું શું કામગીરી થઈ છે, તો તે માહિતી વાસ્મોની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. હકીકતમાં માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખ ના મેન્યુઅલ 11,12,13 પ્રમાણે યોજનાઓ, તેમાં થયેલ ખર્ચ, ચૂકવેલા નાણાં, ફાળવેલી રકમો, આપેલ પરવાનગીઓ, અધિકૃતિઓ વગેરે વિગત સામેથી ચાલીને જાહેર કરવાની થાય છે. આયોગે તેમના ચુકાદામાં જણાવ્યુ કે આ પ્રકારે દરેક સત્તામંડળે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર કરવા ફરજીયાત છે. પણ વાસમો દ્વારા કબુલ કરવામાં આવ્યું કે આ માહિતી આજની તારીખમાં વાસ્મોની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. 
આયોગે વધુમાં નોંધ્યું છે કે 4(1) ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર (PAD) તૈયાર કરી વેબસાઇટ પર પ્ર્રસિદ્ધ કરવા અંગે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 10 ઉપરાંત પરીપત્રો કર્યા છે. જેનો વાસ્મો દ્વારા અમલ કરવામાં આવેલ નથી. ઉપરાંત સર્વોચ્ચ અદાલતના રીટ પિટિશન સિવિલ નં. 990/2021 માં પણ સામેથી ચાલીને જાહેર કરવાની થતી માહિતીના અમલીકરણ માટે માહિતી આયોગને સૂચના આપેલ છે. 
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને આયોગે હુકમ કર્યો છે, કે  રાજ્યના ગ્રામજનો આ યોજના હેઠળ તેમના ગામોમાં થયેલ કામગીરીથી વાકેફ હોય તે માટે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરના ભાગરૂપ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની વર્ષવાર જીલ્લા, તાલુકા, ગામપ્રમાણે થયેલા કામગીરીની વિગતો જાહેર કરવી જરૂરી બને છે. અને તેથી વાસ્મો એ ગુજરાત ના તમામ ગામોમાં જલ સે નળ અંતર્ગત શું શું કાગમીરી થઈ તે નાગરીક્ને માહિતી મળે તે માટે તે વિગતો 30 દિવસમાં વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. તેમજ ત્યાબાદ તેને સમયાંતરે અપડેટ કરવાની રહેશે. આયોગે વધુમાં જણાવ્યુ છે કે વાસ્મોની વેબસાઇટ પર ઉપરોક્ત વિગતો જાહેર કર્યા બાદ તેને બહોળી પ્રસિદ્ધિ આપવી જેથી કરીને માહિતી અધિકાર અધિનિયમ 2005 ના આમુખમાં દર્શાવેલ વિભાવના ચરિતાર્થ થઈ શકે. .

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,