सीधे मुख्य सामग्री पर जाएं

આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે

- ગૌરાંગ જાની 

જુદા જુદા દિવસોની ઉજવણીમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઇએ છીએ અને હવે તો સોશિયલ મીડિયામાં ઉછીની લીધેલી તસવીરો ,લખાણો દ્વારા આ ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ .સવાલ એ છે કે ઉજવાતા દિવસો સાથે સંબંધિત વ્યક્તિઓના જીવનને આખું વર્ષ કદી યાદ કરીએ છીએ ? દેશને ઉન્નત માર્ગે લઈ જનાર મહાન વ્યક્તિઓની યાદ એક કર્મકાંડ બનીને રહી જાય છે .પાંચમી સપ્ટેમ્બર અર્થાત્ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એટલે શિક્ષક દિવસ પણ ! ભારતની શાળાઓ અને કોલેજોમાં ભણાવતા શિક્ષકો માટેનો પણ દિવસ.એમ હોવા છતાં આ મહાન વિભૂતિ વિશે પાંચ સપ્ટેમ્બર સિવાય આપણે ક્યારે કોઈ ચર્ચા કરીએ છીએ .તેમની તસવીર પણ ભાગ્યેજ કોઈ શાળામાં આપણને એમના પ્રદાનની યાદ અપાવતી શોભે છે .ભારતના આ પૂર્વે રાષ્ટ્રપતિ ( ૧૮૮૮ - ૧૯૭૫ ) ના પ્રદાનની આજે વાત માંડીએ .
વર્ષ ૧૯૮૮ ની પાંચમી સપ્ટેમ્બરે  આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યની સીમા પાસેના ગામ   તિરૂતની માં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતાની ઈચ્છા સંતાનને ભણાવવાની નહિ પણ મંદિરના પૂજારી બનાવવાની  હતી પણ ભારતને નસીબમાં એક પૂજારી નહિ પણ એક વિદ્યાપુરુષ હતા .આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ શિષ્યવૃત્તિ લઈને ભણ્યા.પ્રારંભિક શિક્ષણ પછી તેઓ તિરુપતિની મિશન હાઈસ્કૂલમાં ભણ્યા અને પહેલાં વેલોરની કોલેજમાં અને પછી મદ્રાસની  ક્રીશ્ચિયન કોલેજમાં ફિલોસોફી વિષય સાથે બી એ અને એમ એ થયા .અનુસ્નાતક ડિગ્રી પછી તેઓ વર્ષ ૧૯૦૯ માં મદ્રાસ પ્રેસીડન્સી કોલેજમાં આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે શિક્ષણ કારકિર્દી શરૂ કરી.હિન્દુ તત્વજ્ઞાન ખાસ કરીને ઉપનિષદ ,ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર તેમજ શંકરાચાર્ય અને રામાનુજ વિશેનો તેમનો ગહન અભ્યાસ વિદ્યાર્થીઓ સાથેની વર્ગખંડ ચર્ચાઓમાં પડઘાવા માંડ્યો. હિન્દુ તત્વજ્ઞાન ઉપરાંત યુવાન રાધાકૃષ્ણને બૌધ્ધ અને જૈન તત્વજ્ઞાન તેમજ પશ્ચિમના વિચારકો પ્લેટો , કાન્ટ અને બ્રેડલીના ચિંતન  વિશેના અભ્યાસ પર પ્રભુત્વ મેળવ્યું.
આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે. વર્ષ ૧૯૧૮ માં યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે પસંદગી પામ્યા .ત્રણ  વર્ષ બસ  ૧૯૨૧ માં કલકત્તા યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિમાયા .અહી એક નોંધપાત્ર ઘટના બની હતી.મૈસુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના આ વિદ્વાન પ્રોફેસરને અદભૂત વિદાય આપી.ફૂલોથી સજાવેલા એક રથમાં તેઓને રેલવે સ્ટેશન લઈ ગયા અને હા આ રથને વિદ્યાર્થીઓએ પોતે ચલાવ્યો . Indian Philosophy નામનું તેમનું પુસ્તક ૧૯૨૩ માં પ્રકાશિત થયું અને જગપ્રસિદ્ધ બન્યું માં.તેને પગલે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હિન્દુ તત્વજ્ઞાન પર વ્યાખ્યાનો આપવા નિમંત્ર્યા .આ પ્રોફેસરે ત્યાં  માત્ર વ્યાખ્યાનો જ ન આપ્યા પણ સાથે ભારતની સ્વતંત્રતાની હિમાયત પણ કરતા રહ્યા .૧૯૩૧ માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના હસ્તે તેઓના  ઉત્તમ શિક્ષણ પ્રદાન માટે નાઈટહૂડથી સન્માનિત થયા.ઇંગ્લેન્ડમાં તેઓના વ્યાખ્યાનો સાંભળી વિશ્વ પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન એચ એન સ્પેલડિંગ એટલા પ્રભાવિત થયા કે તેઓએ ઓક્સફર્ડ યુનવર્સિટીમાં ' Eastern Religions and Ethics નામે ચેર સ્થાપિત કરી.
માત્ર ૪૨ વર્ષની ઉમ્મરે સર્વપલ્લી રાધાકૃષ્ણન્ આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા હતા.અને ૧૯૩૯ માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિપદે પ્રતિષ્ઠા પામ્યા . વર્ષ ૧૯૪૬ માં તેઓ યુનેસ્કોમાં એમ્બેસેડર તરીકે નિમાયા.આઝાદી બાદ ભારત સરકારે તેઓની સેવા' યુનિવર્સિટી એજ્યુકેશન કમિટી' ના અધ્યક્ષ તરીકે લીધી અને પરિણામે ભારતના શિક્ષણ સુધારાની દિશામાં રાધાકૃષ્ણન કમિટીની ઉત્તમ ભલામણો દેશને પ્રાપ્ત થઈ .તત્વજ્ઞાનના એક પ્રોફેસરનું પ્રદાન માત્ર વર્ગખંડોમાં  ન રહેતાં ભારતને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કરવા સુધી વિસ્તરે એવા ઉદાહરણો બહુ ઓછાં છે અને તેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન્ શિરમોર હતા.વર્ષ ૧૮૪૮ માં તેઓ સોવિયેત યુનિયનમાં ભારતીય રાજદૂત બન્યા .તેમની રાજદ્વારી ભૂમિકાને કારણે ભારત અને સોવિયેત રશિયા વચ્ચેના સંબંધોનો મજબૂત પાયો નંખાયો .૧૯૫૨ માં તેઓ ભારતના ઉપ રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા.પંડિત નેહરુ રાધાૃષ્ણનની બહુમુખી પ્રતિભાના પ્રશંસક હતા.બે સત્ર સુધી ઉપ પ્રમુખ રહીને વર્ષ ૧૯૬૨ માં ભારતના સર્વોચ્ચ પદે અર્થાત્  રાષ્ટ્રપતિ બન્યા.૧૯૫૪ માં તેઓ ' ભારત રત્ન ' થી સન્માનિત થયા હતા.તેમના રાષ્ટ્રપતિના સમયકાળ દરમિયાન ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધનો કપરો કાળ હતો પણ તેઓની ભૂમિકા દેશને સુરક્ષિત રાખવામાં મહત્વની રહી હતી.૧૯૬૭ માં તેઓ રાષ્ટ્રપતિ પદે નિવૃત્ત થયા .મહાત્મા ગાંધીથી  પ્રભાવિત સાદગીભર્યા આ શિક્ષકે ગાંધી વિશે ઉત્તમ પુસ્તક લખ્યું છે.૧૭ એપ્રિલ ,૧૯૭૫ ના.દિવસે ચેન્નાઇમાં તેઓનું અવસાન થયું.

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.