सीधे मुख्य सामग्री पर जाएं

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી 
ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે !
બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ! 
‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિત્ય મળ્યું હતું. 
અમદાવાદમાં આશ્રમ રોડ પર, સાબરમતી આશ્રમની નજીક ‘ખેત ભવન, ગુજરાત ખેત વિકાસ પરિષદ’નું મકાન છે, આ જમીન/ મકાનની કિંમત 10 કરોડ ઉપરની હશે. આ મકાન સહિત જમીન સંસ્થાના વડા કોંગ્રેસના પૂર્વ સંસદસભ્ય અને ખાદીધારી અમરસિંહ ઝેડ. ચૌધરીએ ગુજરાત સરકારને બક્ષિસમાં આપી દીધી છે ! જેથી સરકારે ‘ખેત ભવનનો કબજો 5 સપ્ટેમ્બર 2024ના રોજ સંભાળી લીધો છે. 
ખેત ભવન પર જાહેર સૂચના મૂકી છે : “ગુજરાત ખેત વિકાસ પરિષદ ટ્રસ્ટ દ્વારા તેમનું આ મકાન તથા તમામ સંલગ્ન જમીન (સર્વે નંબર 561/1/A ના બદલે ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ નંબર 581, જૂનો ફાઇનલ પ્લોટ નંબર 198, કુલ ક્ષેત્રફળ 423 ચોરસ મીટર) ચેરીટી કમિશનરના 27 ઓગસ્ટ 2024 ના આદેશથી મળેલ મંજૂરી અનુસાર ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ને રજિસ્ટર્ડ દસ્તાવેજથી બક્ષિસ આપવામાં આવેલ છે જેનો કબજો ટ્રસ્ટ વતી કલેકટરશ્રી અમદાવાદ દ્વારા સંભાળી લેવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિએ ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ અથવા કલેક્ટરશ્રીની મંજૂરી વગર આ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. બિનઅધિકૃત પ્રવેશ કરનાર સામે કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે જેની તમામે નોંધ લેવી. 5 સપ્ટેમ્બર 2024.”
એક કોંગ્રેસી/ ખાદીધારી સરકારને 10 કરોડ ઉપરની મિલકત બક્ષિસ કરે, તેની સામે વાંધો નથી; પરંતુ આવું કૃત્ય છાનુંમાનું કરે તે જરુર વાંધાજનક છે. સ્વાભાવિક છે કે અમરસિંહ ઝેડ. ચૌધરીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો છે. આ સંસ્થા ઊભી કરનાર ઝીણાભાઈ દરજી અને તેમની સાથે જોડાયેલ સનત મહેતા અને ઈન્દુકુમાર જાનીના વિચારોની તેમણે હત્યા કરી છે. 
સાબરમતી આશ્રમ/ ગૂજરીત વિદ્યાપીઠ/ નવજીવન/ ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ વગેરે ગાંધીવાદી સંસ્થાઓ ગોડસેવાદી/ સાવરકરવાદી આંચકી રહ્યા છે; અને ગુજરાત કોંગ્રેસના નેતા મંજિરા ઘસે છે ! 
ગુજરાત કોંગ્રેસ આત્મહત્યા તરફ દોડી રહી છે ! તેને કોઈ રોકી શકે તેમ નથી ! ‘ગાંધી આશ્રમ’ વિશે સૌથી પહેલા પ્રા. હેમંતકુમાર શાહે ચેતવ્યા હતા; પણ ગાંધીવાદીઓ બે વર્ષ સુધી જાગ્યા નહોતા ! જ્યારે જાગ્યા ત્યારે તો બહુ મોડું થઈ ચૂક્યું હતું ! આશ્ચર્ય એ વાતનું છે કે રાહુલ ગાંધી સાવરકરની પોલ ખોલે છે તો ગુજરાતના ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ/ કોંગ્રેસના નેતાઓ સાવરકર/ ગોડસેને ગળે લગાડે છે ! અને ગાંધીવાદી સંસ્થાઓ બક્ષિસમાં આપે છે ! 
ગાંધીજીએ સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું ગોડસેકરણ, ગાંધીવાદી રાજેન્દ્ર ખીમાણી/ સુદર્શન આયંગર/ હસમુખ પટેલે તડિપાર અમિત શાહના આશીર્વાદથી કરી નાખ્યું છે ! રાજેન્દ્ર ખીમાણીએ પોતાની ગાદી સાચવવા ગાંધીની ‘ગુજરાત વિદ્યાપીઠ’ વેચી મારી. તોય જવું તો પડ્યું જ. પણ જેલમાં નહિ, લોકભારતીમાં VC તરીકે ગોઠવાઈ ગયા ! ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ પણ ખેડૂત નેતા સાગર રબારી અને અમરસિંહ ઝેડ. ચૌધરીએ અંદોઅંદર કલહ-સંપ કરીને/ કુલડીમાં ગોળ ભાંગીને ગોડસેવાદીઓને સોંપી દીધી છે !
ભગવાન બુદ્ધના ગયા પછી એમના વિહારમાં જે થયેલું તે ગાંધીવાદી સંસ્થાઓમાં થાય છે. ગુજરાતમાં એક પણ ગાંધીવાદી સંસ્થા સરકારની તાનાશાહી અને ગાંધીનાં મૂલ્યોના પતન સામે બોલતી નથી ! ગાંધી ગાંધીના ભજન કરે છે !
ચેતજો : ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ/ ખાદીધારીઓ, ભલે ખાદી પહેરે, મૂલ્યનિષ્ઠાની વાતો કરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે !

टिप्पणियाँ

ट्रेंडिंग

આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે

- ગૌરાંગ જાની  જુદા જુદા દિવસોની ઉજવણીમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઇએ છીએ અને હવે તો સોશિયલ મીડિયામાં ઉછીની લીધેલી તસવીરો ,લખાણો દ્વારા આ ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ .સવાલ એ છે કે ઉજવાતા દિવસો સાથે સંબંધિત વ્યક્તિઓના જીવનને આખું વર્ષ કદી યાદ કરીએ છીએ ? દેશને ઉન્નત માર્ગે લઈ જનાર મહાન વ્યક્તિઓની યાદ એક કર્મકાંડ બનીને રહી જાય છે .પાંચમી સપ્ટેમ્બર અર્થાત્ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એટલે શિક્ષક દિવસ પણ !

ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવે એવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું

- ડો. કનુભાઈ ખડદિયા*  અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા કેમ જરૂરી છે?

- મુજાહિદ નફીસ*  પ્રતિ, માનનીય અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), નવી દિલ્હી વિષય: ગુજરાતના સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની વિનંતી આદરણીય સાહેબ, હું તમારા ધ્યાન પર સુરત શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા વ્યક્તિઓને નિર્દયતાથી માર મારતી એક ચિંતાજનક ઘટના લાવવા ઈચ્છું છું. સુરત સિટી પોલીસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર સુરતના વરિયાવી માર્કેટ શ્રીજીની પ્રતિમા પર કાન્કરી ચાળો કરી શહેરની શાંતિ ભંગ કરનારને ઝડપી કાયદાનું ભાન વર્તન કર્યું લખ્યું હતું. "સુરતના વરિયાવી બજારમાં શ્રીજીની મૂર્તિ પર પથ્થર ફેંકીને શહેરની શાંતિને ખલેલ પહોંચાડનારાઓને પોલીસ દ્વારા કાયદાની જાણ કરવામાં આવી હતી." દલીલ ખાતર, એમ ધારી લઈએ કે, 7મી સપ્ટેમ્બરની રાત્રે મુસ્લિમ સગીરો દ્વારા પથ્થરમારો કરતી નોંધાયેલી ઘટના, કથિત રીતે, કથિત રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલી ક્રૂર મારપીટને વાજબી ઠેરવતી નથી. શહેરમાં બહુમતી વસ્તી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. ત્યારબાદ, એક મોટું ટોળું એકઠું થયું અને આરોપીઓ સામે કડક સજાની માંગણી કરી, જેના કારણે સાંપ્રદાયિ

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.