सीधे मुख्य सामग्री पर जाएं

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ* 
પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર 
પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર. 
વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત. 
સાદર નમસ્કાર. 
આપ બંને મહાનુભાવોને સંબંધિત હોઈ આ સંયુક્ત પત્ર લખવાની જરૂરત પડેલ છે. મોરબી જિલ્લાને સ્માર્ટ જીલ્લો જાહેર કરી ગુજરાત સરકારે આ જીલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને બધા જ કાયદાનાં અમલમાંથી મૂક્તિ આપી દીધાનો કોઈ હુકમ થયેલ હોય તેમ લાગે છે. કારણ કે, ગંભીર ગુનાના પૂરાવાઓ સાથે અનુસુચિત જાતિના લોકો પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો આપે છે પણ મહિનાઓ સુધી પોલીસ ગુન્હો નોંધતી નથી. અને આ અનુસુચિત જાતિના ફરીયાદીઓ દ્વારા આપ મુખ્યમંત્રી સમક્ષ સંખ્યાબંધ વખત રજુઆતો કરવા છતાં આપની સરકાર તરફથી આવા દોષિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. ત્યારે મુખ્યમંત્રી સાહેબ આનો અર્થ શું સમજવો? શું જે તે પોલીસ સ્ટેશનોને આવો હુકમ માત્ર અનુસુચિત જાતીની નોંધાતી ફરિયાદો માટે જ થયેલ છે કે કેમ? 
દસ્તાવેજી પૂરાવાઓ રજુ કરું છું.---- 
(1) કેસ નં- (૧) ટંકારા પોલીસ સ્ટેશન ફરિયાદ આપ્યા તારીખ ૨૭/૦૬/૨૦૨૪ ફરીયાદી- ઝવેરભાઈ આલજીભાઈ સોલંકી ગામ-નેસડા (સુ) તા-ટંકારા.
ફરિયાદ હકીકત- ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામના ઘર વિહોણા અનુસુચિત જાતિના લોકોને ગુજરાત સરકારે મકાન બનાવવા તા-૦૩/૧૨/૧૯૯૨ના રોજ ૧ એકર અને ૧૫ ગુંઠા જમીન ફાળવવા હુકમ કર્યો. ગામના સવર્ણ હિંદુઓ કોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા. નામદાર ગુજરાત હાઈકોર્ટે તા-૦૯/૦૮/૨૦૦૨ નાં રોજ જજમેન્ટ આપી અનુસુચિત જાતિના લોકોને મકાન બનાવવા જમીન આપવાનો હુકમ કરેલ છે. જીલ્લા કલેકટરે પણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને સત્વરે હાઈકોર્ટના જજમેન્ટનો અમલ કરી અનુસુચિત જાતિના લોકોને પ્લોટ ફાળવવા હુકમ કર્યો છે. અને આમ છતાં છેલ્લા ૨૨ વર્ષથી આ અધિકારીઓ સમક્ષ સંખ્યાબંધ લેખિત રજુઆતો કરવા છતાં હાઈકોર્ટનાં જજમેન્ટનો અમલ કરતા નથી. એટલે દલિતોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ પૂરાવાઓ સાથે ફરિયાદ આપેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આ ફરિયાદની નકલ આપને પણ મોકલી છે. અને આમ છતાં આજે બે માસ પછી પણ ટંકારા પોલીસ સ્ટેશન ગુનો નોંધતી નથી. જ્યારે બીજીબાજુ આપ સાહેબને એજ ફરિયાદની નકલ આપેલ છે તેમાં પણ આપની CMO કચેરીએ શું કાર્યવાહી કરી તેની પણ કોઈ જાણકારી આપવામાં આવતી નથી. ફરીયાદી દલિતે પોલીસ ગુનો નોંધતી ન હોઈ મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ પણ લેખિત રજૂઆત કરેલ છે અને આમછતાં પોલીસ ગુનો નોંધતી નથી. આપ સાહેબ જણાવો હવે શું કરવું ? 
નામદાર સુપ્રીમ કોર્ટે લલીતાકુમારી વિરૂધ્ધ ઉત્તર પ્રદેશના જજમેન્ટમાં સ્પષ્ટ આદેશ કરેલ છે કે, પોલીસ સ્ટેશનમાં આવેલ લેખિત ફરિયાદમાં વધુમાં વધુ સાત દિવસમાં ગુનો નોંધવો અથવા ગુનો ન નોંધવાના કારણોની ફરિયાદીને જાણ કરવી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ પણ સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટનો અમલ તાકીદે કરવો તેવો લેખિત હુકમ પણ કરેલ છે. અને આમ છતાં આજે ફરિયાદ આપ્યાના બે માસ થવા છતાં પોલીસ ગુનો નોંધતી નથી. કે ગુનો ન નોંધવાનાં કોઈ કારણોની પણ જાણ કરતી નથી. આપ બંને મહાનુભાવોને આ ગંભીર બાબતે તાત્કાલિક હુકમ કરવા માગણી છે. 
(2) કેસ નં-૨ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ આપ્યા તારીખ ૨૫/૦૭/૨૦૨૩ ફરીયાદી- રમેશભાઈ ખીમાભાઈ મકવાણા ગામ-સોખડા તા.જી-મોરબી સોખડા ગામના દલિત વાસમાં સી.સી. રોડ બનાવવા સરકારે તા-૧૪/૦૬/૨૦૨૧ ના રોજ હુકમ કર્યો. 
@ પંચાયતના રેકર્ડ મુજબ તા-૧૮/૦૪/૨૦૨૨ નાં રોજ સી.સી.રોડ બનાવવાનું કામ શરુ થયું. 
@ તા-૦૮/૦૭/૨૦૨૨ કામ પૂરું થયાનું પંચનામું કરી સોશ્યલ ઓડીટ થયું. 
@ તા-૧૫/૦૭/૨૦૨૨ નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરએ રસ્તાની ચકાસણી કરી પ્રમાણપત્ર આપ્યું. રસ્તો કાયદાનુસાર બરાબર બન્યો છે. અને નાણા ચૂકવાઈ ગયા. 
@ તા-૨૦/૦૭/૨૦૨૩ આ રસ્તો ચોરાઈ ગયો. કશું જ ન મળે. સ્થળનો ફોટો ગ્રાફ લીધો. 
માનનીય મુખ્યમંત્રી સાહેબ ભ્રષ્ટાચારનો આથી વધારે બીજો સંગીન પૂરાવો શું હોઈ શકે ? 
માનનીય મુખ્યમંત્રીશ્રી આપનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધનું ભાષણ સાંભળી ખુશ થઇ ગયેલા ફરીયાદી દલીતને વિશ્વાસ હતો કે, હું આ ભ્રષ્ટાચારના પૂરાવાઓ સહીત ની ફરિયાદ જો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોકલીશ તો તેઓ તાત્કાલિક કાર્યવાહી કરવાનો હુકમ કરશે. એટલે આ દલિત ફરિયાદીએ હર્ષભેર આ દસ્તાવેજી પૂરાવાઓ અને સ્થળના ફોટા સાથે આપને ફરિયાદ મોકલી આપી. એની ફરિયાદ CMO કચેરીએ માર્ગ મકાન વિભાગ પાસે રીપોર્ટ મંગાવવા મોકલી આપ્યાની જાણ કરી. મુખ્યમંત્રી સાહેબ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. હારી થાકીને દલિત રમેશ ખીમાએ આ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ તા-૨૫/૦૭/૨૦૨૩ નાં રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી. પણ પોલીસ સ્ટેશન ભ્રષ્ટાચારનાં દસ્તાવેજી પૂરાવાઓ હોવા છતાં પાંચ માસથી પોલીસ ગુનો દાખલ કરતી નથી. એટલે આ દલિત ફરિયાદીએ તા-૦૪/૧૨/૨૦૨૩ ના રોજ પોલીસ વિરુધ્ધ મોરબી કોર્ટમાં કેસ દાખલ કરી આ ગરીબ ખેત મજુર સ્વમાનની લડાઈ લડી રહ્યો છે. આમ એક અંતરિયાળ ગામડામાં એક સામાન્ય અનુસુચિત જાતિનો ગરીબ ખેત મજુર આપની સરકારના ભ્રષ્ટાચારી તંત્ર વિરૂધ્ધ સામાજિક ન્યાય મેળવવા લડી રહ્યો છે. ત્યારે બીજીબાજુ આપની સરકાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓનું ખૂલ્લે આમ રક્ષણ કરી છે. તેનો આ સંગીન પૂરાવો રજુ કરું છું. 
માનનીય મુખ્યમંત્રી સાહેબ આપને વિનંતિ છે કે, આપને સંબોધીને આપેલ આ બંને ગંભીર ફરિયાદોમાં આપની CMO કચેરી એ શું કાર્યવાહી કરી? CMO કચેરીએ શું રીપોર્ટ મેળવ્યા ? એ આપ જાણી શકો તેમ છો ખરા કે ? ત્યારે જ આપને ખબર પડશે કે, આ CMO કચેરી સામાન્ય નાગરીકો માટે કાર્યરત છે કે પછી VIP લોકોના VIP કામો માટે છે. 
આમ તો રાજ્યના અમારા જેવા સામાન્ય નાગરિકોને આપની સરકારના કોઈ ખાતા તરફથી ક્યારેય જવાબ અપાતા નથી. આમ છતાં જો આ પત્ર કદાચ આપ સાહેબના "વંચાણે" મૂકાય તો, અમારી આપ સાહેબને વિનંતિ છે કે, આ દસ્તાવેજી પૂરાવાઓ ને ધ્યાને લઇ આપના વહીવટી તંત્રે શું કાર્યવાહી કરી અને શું નિર્ણય લીધો તેની જાણ અમોને કરશો તેવી અપેક્ષા.
સહ આભાર.
---
*સેક્રેટરી, Council for Social Justice, અમદાવાદ

टिप्पणियाँ

ट्रेंडिंग

આપણે ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવીએ છીએ એ સમજવું હોય તો રાધાકૃષ્ણનની અધ્યાપન સફર જોવી પડે

- ગૌરાંગ જાની  જુદા જુદા દિવસોની ઉજવણીમાં આપણે ઉત્સાહપૂર્વક ભાગ લઇએ છીએ અને હવે તો સોશિયલ મીડિયામાં ઉછીની લીધેલી તસવીરો ,લખાણો દ્વારા આ ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ .સવાલ એ છે કે ઉજવાતા દિવસો સાથે સંબંધિત વ્યક્તિઓના જીવનને આખું વર્ષ કદી યાદ કરીએ છીએ ? દેશને ઉન્નત માર્ગે લઈ જનાર મહાન વ્યક્તિઓની યાદ એક કર્મકાંડ બનીને રહી જાય છે .પાંચમી સપ્ટેમ્બર અર્થાત્ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એટલે શિક્ષક દિવસ પણ !

ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવે એવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું

- ડો. કનુભાઈ ખડદિયા*  અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા કેમ જરૂરી છે?

- મુજાહિદ નફીસ*  પ્રતિ, માનનીય અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), નવી દિલ્હી વિષય: ગુજરાતના સુરત શહેરમાં ઢોરમાર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની વિનંતી આદરણીય સાહેબ, હું તમારા ધ્યાન પર સુરત શહેરમાં પોલીસ અધિકારીઓ દ્વારા વ્યક્તિઓને નિર્દયતાથી માર મારતી એક ચિંતાજનક ઘટના લાવવા ઈચ્છું છું. સુરત સિટી પોલીસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર સુરતના વરિયાવી માર્કેટ શ્રીજીની પ્રતિમા પર કાન્કરી ચાળો કરી શહેરની શાંતિ ભંગ કરનારને ઝડપી કાયદાનું ભાન વર્તન કર્યું લખ્યું હતું. "સુરતના વરિયાવી બજારમાં શ્રીજીની મૂર્તિ પર પથ્થર ફેંકીને શહેરની શાંતિને ખલેલ પહોંચાડનારાઓને પોલીસ દ્વારા કાયદાની જાણ કરવામાં આવી હતી." દલીલ ખાતર, એમ ધારી લઈએ કે, 7મી સપ્ટેમ્બરની રાત્રે મુસ્લિમ સગીરો દ્વારા પથ્થરમારો કરતી નોંધાયેલી ઘટના, કથિત રીતે, કથિત રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલી ક્રૂર મારપીટને વાજબી ઠેરવતી નથી. શહેરમાં બહુમતી વસ્તી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. ત્યારબાદ, એક મોટું ટોળું એકઠું થયું અને આરોપીઓ સામે કડક સજાની માંગણી કરી, જેના કારણે સાંપ્રદાયિ

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.