सीधे मुख्य सामग्री पर जाएं

2006ના નોબેલ શાંતિ ઈનામ વિજેતા, બાંગ્લાદેશના દરેક ઘરના તારણહાર મહંમદ યુનુસ કોણ છે?

- રમેશ સવાણી 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, 5 ઓગસ્ટ 2024ના રોજ રાજીનામું આપી દેશ છોડીને ભારત આવતા રહ્યા. છેલ્લા 3 અઠવાડિયામાં ઢાંકામાં, 300થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે ! બાંગ્લાદેશના જનક શેખ મુજીબુર રહમાનની વિશાળ પ્રતિમા આંદોલનકારીઓએ તોડી નાખી છે ! 
આ સ્થિતિમાં ચિત્તાગોંગ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક રહેલા પ્રો. મહંમદ યુનુસ (84) કાર્યકારી વડાપ્રધાન બનશે.  આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓને કેટલો બધો ભરોસો હશે કે તેમને વડાપ્રધાન બનાવવાના સૂચન પર લશ્કર અને રાષ્ટ્રપ્રમુખ બંને તરત જ સહમત થઈ ગયાં ! રાષ્ટ્રપતિએ 6 ઓગસ્ટ 2024ના રોજ સંસદ ભંગ કરી દીધી હતી.
7 ઓગસ્ટ 2024ના રોજ, વહેલી સવારે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનના પ્રેસ સેક્રેટરી જોયનલ આબેદીન તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે વચગાળાના વડાપ્રધાન તરીકે મહંમદ યુનુસ કાર્યભાળ સંભાળશે. કોણ છે મહંમદ યુનુસ? તેઓ 2006ના નોબેલ શાંતિ ઈનામ વિજેતા છે. તેઓ બાંગ્લાદેશના દરેક ઘરના તારણહાર છે. 
તેમની આત્મકથા ‘Banker to the Poor’નો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હેમંતકુમાર શાહે 'વંચિતોના વાણોતર' નામે કર્યો છે. 'વંચિતોના વાણોતર'નું વિમોચન કરવા મહંમદ યુનુસ મે-2000માં વડોદરા પધારેલ હતા. આ અનુવાદનું કામ ગુજરાતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન સનત મહેતાએ હેમંતકુમાર શાહને સોંપેલ. 
‘વંચિતોના વાણોતર’ શીર્ષક જનસત્તા અખબારના તંત્રી દિગંત ઓઝાએ આપ્યું હતું. હેમંતકુમાર શાહ કોણ છે? અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક છે અને આર્થિક બાબતો અંગે સ્પષ્ટ બોલે છે. કાળાને કાળો અને ધોળાને ધોળો કહે છે. ચોરને ચોર કહે છે; જૂઠાને જૂઠ્ઠો કહે છે !
વડાપ્રધાનની આર્થિક નીતિઓના પ્રખર ટીકાકાર છે. નોટબંધી/ GST/ પેટ્રોલ-ડીઝલના આકાશી ભાવો/ ડોલરના મુકાબલે રુપિયાનું અવમૂલ્યન/મોંધી શિક્ષણ નીતિ/ અણઘડ લોકડાઉન/કિસાન સમસ્યા/ ક્રોની કેપિટાલિઝમ વગેરે બાબતો અંગે તેમના વિચારોથી પરિચિત રહેવું જોઈએ.
‘Banker to the Poor’-'વંચિતોના વાણોતર' પુસ્તક શા માટે વાંચવું જોઈએ? 
મુહમ્મદ યુનુસ ગ્રામીણ બેન્કના સ્થાપક છે. 50 રુપિયાના ધિરાણથી તેમણે ગ્રામીણ બેન્ક શરુ કરી હતી. માઈક્રો ફાયનાન્સનું આ મોડેલ ફિલિપાઈન્સ, ભારત, નેપાળ, વિયેતનામ, ચીન, લેટિન અમેરિકા, આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જેવા દેશોમાં ‘માઇક્રો-ક્રેડિટ બેંન્ક’ તરીકે અમલી બન્યું છે. મહંમદ યુનુસ માને છે કે ‘દાન એ ગરીબી મુક્ત વિશ્વ બનવાનો માર્ગ નથી. તેના બદલે, દરેક મનુષ્યને યોગ્ય તક મળે તેવું માળખું ઊભું કરવું જરુરી છે.’ 
મહંમદ યુનુસે અમેરિકામાં પ્રાધ્યાપકની નોકરી છોડીને તેઓ શા માટે બાંગ્લાદેશ પરત આવ્યા? આર્થિક મોડેલમાં ગરીબીના પ્રશ્નની ગેરહાજરી હતી તે કઈ રીતે દૂર કરી? બાંગ્લાદેશમાં કઈ રીતે આર્થિક ક્રાંતિ કરી? બુરખામાં રહેનાર મુસ્લિમ મહિલાઓનું કઈ રીતે સશક્તિકરણ કર્યું? પરંપરાગત બેન્કથી ગ્રામીણ બેન્ક કઈ રીતે જુદી હતી? તેમણે કઈ રીતે શાહુકાર પાસેથી લોન લેતી મહિલાઓને મુક્ત કરી? કઈ રીતે જાન્યુઆરી 1977માં ગ્રામીણ બેંકનો જન્મ થયો? પુરુષોના બદલે સ્ત્રીઓને ધિરાણ શા માટે? લઘુધિરાણ કઈ રીતે પરિવર્તન લાવે? તેમનો સિદ્ધાંત હતો કે દરેક ઉધાર લેનારને ધિરાણ મેળવવાનો માનવ અધિકાર છે. કઈ રીતે લોન આપવામાં આવતી? 
લોન પર અમુક પ્રકારની સિક્યોરિટી પૂરી પાડવા માટે લોન લેનારાઓએ પાંચ લોકોનું જૂથ બનાવવું પડતું હતું. ત્યારબાદ ગ્રુપના બે સભ્યોને લોન આપવામાં આવી હતી. સતત છ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક ચૂકવણી કર્યા પછી, આગામી બે સભ્યો ગ્રામીણ બેન્ક પાસેથી લોન મળતી. ટૂંકમાં સામૂહિક જવાબદારી ! ગરીબીથી મુક્ત વિશ્વ : કેવી રીતે અને ક્યારે બને? વગેરે બાબાતોનું વિશ્લેષણ આ પુસ્તકમાં છે. દરેક જાગૃત નાગરિકે/ પત્રકારે/ UPSC-GPSCની પરીક્ષા આપતા યુવાનોએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ !
UPSC-GPSCની તૈયારી કરતાં ગુજરાતી યુવાનો મારી પાસે માર્ગદર્શન માટે આવે ત્યારે હું તેમને પૂછું છું કે ‘મહંમદ યુનુસ કોણ છે?’ જો તે મને તાકી રહે તો હું કહું કે ‘તમારે જનરલ સ્ટડીઝ માટે ગુજરાતી કોલમિયા લેખકોને વાંચવાનું બંધ કરીને ખરેખર વાંચવા લાયક પુસ્તકો વાંચવાની જરુર છે !’
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

સીતારામ યેચુરી માટે રાષ્ટ્ર અને તેના લોકોની જરૂરિયાતો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી ઉપર હતી

- રમેશ સવાણી  જીવંત, નમ્ર, સમાજ સાથે જોડાયેલા CPI(M)ના નેતા સીતારામ યેચુરી (12 ઓગસ્ટ 1952/ 12 સપ્ટેમ્બર 2024) 72મા વર્ષે આપણને છોડી ગયા છે. અત્યંત પ્રતિભાશાળી નેતા તરીકે, તેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું અને માર્ક્સવાદી વિચારધારાનું ચમકતું પ્રતીક બની ગયા. વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતા, સત્યતા અને પ્રમાણિકતા માટે તેમણે લોકોને પ્રભાવિત કર્યા હતા. આપણે તેજસ્વી પ્રતિનિધિ ગુમાવ્યા છે. 

आरएसएस को लगता है चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना

- राम पुनियानी*  भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है. 

संथाल परगना के बांग्ला-भाषी मुसलमान भारतीय हैं और न कि बांग्लादेशी घुसपैठिये

- झारखंड जनाधिकार महासभा*  हाल के दिनों में भाजपा लगातार प्रचार कर रही है कि संथाल परगना में बड़ी संख्या में बांग्लादेशी घुसपैठिए आ रहे हैं जो  आदिवासियों की ज़मीन हथिया रहे है, आदीवासी महिलाओं  से शादी कर रहे हैं और आदिवासियों की जनसंख्या कम हो रही है. क्षेत्र में हाल की कई हिंसा की घटनाओं को जोड़ते हुए इन दावों पर सामाजिक व राजनैतिक माहौल बनाया जा रहा है. ज़मीनी सच्चाई समझने के लिए झारखंड जनाधिकार महासभा व लोकतंत्र बचाओ अभियान के एक प्रतिनिधिमंडल ने संथाल परगना जाकर हर सम्बंधित मामले का तथ्यान्वेषण किया. पाए गए तथ्यों को प्रेस क्लब, रांची में प्रेस वार्ता में साझा किया गया. 

भारत में मुसलमानों और ईसाईयों के बारे में गलत धारणाएं ही उनके खिलाफ हिंसा की मुख्य वजह

- राम पुनियानी*  जुलाई 2024 में इंग्लैड के कई शहरों में दंगे और उपद्रव हुए. इनकी मुख्य वजह थीं झूठी खबरें और लोगों में अप्रवासी विरोधी भावनाएं. अधिकांश दंगा पीड़ित मुसलमान थे. मस्जिदों और उन स्थानों पर हमले हुए जहां अप्रवासी रह रहे थे. इन घटनाओं के बाद यूके के ‘सर्वदलीय संसदीय समूह’ ने भविष्य में ऐसी हिंसा न हो, इस उद्देश्य से एक रपट जारी की. रपट में कहा गया कि “मुसलमान तलवार की नोंक पर इस्लाम फैलाते हैं” कहने पर पाबंदी लगा दी जाए. इस्लामोफोबिया की जड़ में जो बातें हैं, उनमें से एक यह मान्यता भी है.

झारखंड उच्च न्यायलय में केंद्र ने माना, संथाल परगना में ज़मीन विवाद में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव नहीं

- झारखंड जनाधिकार महासभा  संथाल परगना में बांग्लादेशी घुसपैठ मामले में झारखंड उच्च न्यायलय में केंद्र सरकार ने 12 सितम्बर 2024 को दर्ज हलफ़नामा में माना है कि हाल के ज़मीन विवाद के मामलों में बांग्लादेशी घुसपैठियों का जुड़ाव स्थापित नहीं हुआ है. उच्च न्यायलय में भाजपा कार्यकर्ता द्वारा दर्ज PIL में दावा किया गया था कि बांग्लादेशी घुसपैठियों द्वारा आदिवासियों से  शादी कर ज़मीन लूटी जा रही है व घुसपैठ हो रही है.  

डबल बुलडोज़र भाजपा राज नहीं चाहिए, हेमंत सरकार जन वादे निभाए: ग्रामीणों की आवाज़

- झारखंड जनाधिकार महासभा  आज राज्य के विभिन्न जिलों से 2000 से अधिक लोग राजधानी रांची पहुंचे और हेमंत सोरेन सरकार को अपूर्ण वादों और झारखंड से भाजपा को भगाने की ज़रूरत को याद दिलाए. झारखंड जनाधिकार महासभा ने राज भवन के समक्ष धरने का आयोजन किया. धरने में आये लोगों के नारे “भाजपा हटाओ, झारखंड बचाओ” और “हेमंत सोरेन सरकार, जन मुद्दों पर वादा निभाओ” क्षेत्र में गूँज रहा था.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.