सीधे मुख्य सामग्री पर जाएं

અમદાવાદના અખબારોની ગતિવિધિઓ વિશે: ભારોભાર અપરકાસ્ટ બાયસ, અપ્રમાણિક અરીસો

- ભાવેશ બારીયા
 
‘અમદાવાદ ઇતિહાસ અને અનુસંધાન’ (1930-2013)ના સંપાદકો ડો. ભારતી શેલત અને ડો. રસેશ જમીનદાર છે. 532 પાનાના આ દળદાર ગ્રંથમાં અમદાવાદના અખબારોની ગતિવિધિઓ લેખમાં ડો. સોનલ ર. પંડ્યા લખે છે, 
“22મી એપ્રિલ, 1986ના રોજ અનામત-વિરોધી આંદોલન સામે ચાલતાં તોફાનો સમયે ઉભી થયેલી રાજકીય ખટપટના પગલે ગુજરાત સમાચાર દૈનિકને આગ ચાંપવામાં આવી. તંત્રી-માલિકનો બચાવ થયો. આ બધાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, છતાં અંતે ગુજરાત સમાચાર વધુ મજબૂત બન્યું.”
આ એક નેરેટિવ છે. 
નેરેટિવ પર ચાલે છે આજની દુનિયા.
ડો. સોનલ ર. પંડ્યા ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા છે. એમના આ નેરેટિવને મીડીયા સાથે સંકળાયેલા અસંખ્ય લોકો પ્રમાણભૂત ગણશે.
પરંતુ, આ નેરેટિવ તદ્દન ખોટું છે. એમાં ભારોભાર અપરકાસ્ટ બાયસ છે. દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગોના બંધારણીય અધિકારો છીનવવા માટેના હિંસક પ્રયાસોને આ નેરેટિવ સમર્થન આપે છે. 
'અનામત-વિરોધી આંદોલન સામે ચાલતા તોફાનો' - આ શબ્દ-ઝૂમખું તમને એવું સૂચવે છે કે અનામત-વિરોધી આંદોલન કેટલાક નિર્દોષ લોકોએ ન્યાયી, સમતા-મૂલક સમાજરચનાના નિર્માણ માટે છેડેલું ક્રાંતિકારી, પ્રગતિશીલ આંદોલન હતું. આંદોલનકારીઓ સમાજના છેવાડાના માણસ માટે પોતાનું જીવન કુરબાન કરવા નીકળેલા કર્મશીલો હતા. અને આવા મહાન આંદોલન સામે (કેટલાક સ્થાપિત હિતો) તોફાનો કરાવતા હતા. 
1981 અને 1985ના અનામત-વિરોધી આંદોલનો વાસ્તવમાં અનામત-વિરોધી હૂલ્લડો હતા. 1981માં અમદાવાદમાં સાત દલિતોની હત્યાઓ થઈ, બાર દલિતો પોલિસ ગોળીબારમાં માર્યા ગયા અને બાવીસ ગામોમાં દલિતોનો સામાજિક-આર્થિક બહિષ્કાર થયો અને દેત્રોજ અને ઉત્તરસંડા જેવા ગામોમાં તો દલિતોના ઝૂંપડા સળગાવવામાં આવ્યા. 
આને આંદોલન કઈ રીતે કહેવાય? 
એ પછી 1985માં માધવસિંહ સોલંકીની સરકારે ઓબીસીની અનામતનો ક્વોટા 17 ટકાથી વધારીને 27 ટકા કર્યો ત્યારે પણ આ કહેવાતા અનામત-વિરોધી આંદોનકારીઓના રડાર પર દલિતો જ હતા. 
1981માં મીડીયાની ઝેરીલી ભૂમિકાને તપાસવા એડિટર્સ ગીલ્ડની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ અમદાવાદ આવેલી અને તેમણે ક્રુકેડ મીરર (અપ્રમાણિક અરીસો) નામનો ઐતિહાસિક રીપોર્ટ બહાર પાડેલો.
તેમાં ખોંખારીને કહેલું કે ગુજરાત સમાચાર અને સંદેશે જાણી બૂઝીને દલિતોના વિરુદ્ધમાં ખોટા, અતિશયોક્તિપૂર્ણ અને વિકૃત સમાચારો છાપ્યા હતા. 
ડો. સોનલ પંડ્યા લખે છે કે ગુજરાત સમાચાર મજબૂત બન્યું. સાચી વાત છે. ગુજરાતની અપર કાસ્ટમાં અનામત-વિરોધી ગુજરાત સમાચાર એક હીરો તરીકે પ્રસ્થાપિત થયું. 
પરંતુ, એક સંવેદનશીલ, જાગૃત, મીડીયા પ્રહરી તરીકે ડો. સોનલ પંડ્યા તેમની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા છે, એમણે ઇતિહાસ ખોટો લખ્યો છે, એનો આ લેખ જીવતો જાગતો પુરાવો છે. 
સેક્યુલર ભૂવો ગમે તેટલું ધૂણે પણ નાળિયેર તો પોતાના ઘર ભણી જ ફેંકે.
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.