सीधे मुख्य सामग्री पर जाएं

સમસામયિક સમ્પાદનો વિશે: આપણે ત્યાં સમ્પાદકીય આશય વિશે ભાગ્યેજ પૃચ્છા થાય છે

- સુમન શાહ* 

આ લેખ સાહિત્યકારમિત્રોના હિતમાં લખી રહ્યો છું. હું જે હિત સમજ્યો છું તેને અનુસરીને જાહેરમાં લખું નહીં, તો પ્રજ્ઞાપરાધ થાય. 
આપણે ત્યાં થતાં સમસામયિક સમ્પાદનો બાબતે આ હું જે લખી રહ્યો છું એને કવિઓ વાર્તાકારો તેમજ નિબન્ધકારો અને વિવેચકો બરાબર સમજે અને વિવેકપૂર્વક આવશ્યક ચર્ચા કરે, એમ વિનન્તી છે. 
અહીં હું સામયિકોના સમ્પાદકો વિશે નથી લખી રહ્યો એ સ્પષ્ટ છે. 
દાખલા તરીકે, કોઈ સમ્પાદકને એક મુદ્દો સૂઝ્યો છે. એમ કે 'ટૂંકીવાર્તામાં એકમેવ અસર' -નું તત્ત્વ આજકાલ લખાતી ટૂંકીવાર્તાઓના સર્જકોની કૃતિઓમાં કલાત્મક રીતે અનુભવાય છે. એ મુદ્દાને એ પોતાનો સમ્પાદકીય આશય ગણે અને એવી કૃતિઓનું સમ્પાદન હાથ ધરે, તો સૌ પહેલાં એણે શું કરવું જોઈએ? ક્રમશ: આ પ્રમાણે --
૧ : સૌ પહેલાં એણે પ્રકાશક નક્કી કરવો જોઈએ. પ્રકાશક સાથે, લિખિત કરાર કરવો જોઈએ; તેમાં, પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકનું મૂલ્ય શું હશે, કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, એને કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે. પુરસ્કાર સમ્પાદકને પણ મળવો જોઈએ, કરારમાં એનો પણ નિર્દેશ હોવો જોઈશે. 
૨ : 'એકમેવ અસર'-નો સંદર્ભ ધરાવતા પોતાના એ સમ્પાદકીય આશયની પૂરી સ્પષ્ટતા સાથે એ સમ્પાદકે એ કૃતિઓના કર્તાઓને નિમન્ત્રણ આપવું જોઈએ અને પસંદ કરેલી કૃતિ માટે દરેક કર્તાની લિખિત સમ્મતિ માગવી જોઈએ. સમ્પાદકે પ્રકાશક સાથે થયેલા કરારની તમામ વીગતોથી કર્તાને અવગત કરવો જોઇએ. 
૩ : સમ્પાદકીય આશય કે પસંદગી પામેલી કૃતિ કોઈ કર્તાને યોગ્ય ન લાગતાં હોય, તો તે વિશે તેની સાથે સમ્પાદકે જરૂરી વિચારવિમર્શ કરવો જોઈએ. એ પછી, જો બન્ને પક્ષે સર્વસમ્મતિ સધાય તો આગળ વધવું જોઈએ. 
૪ : એ સર્વસમ્મતિ અનુસાર, સમ્પાદકે પ્રકાશકને તમામ કૃતિ-કર્તાની યાદી મોકલવી જોઈએ. પ્રકાશકે પણ કર્તાને વિધિસરનું નિમન્ત્રણ મોકલવું જોઇએ, અને તે નિમન્ત્રણ સાથે પ્રકાશકે પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકની કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે.
૫ : આ બધું થાય તેમછતાં, કેટલીક ક્ષતિઓ થવાનો સંભવ છે. એ ક્ષતિઓ આ પ્રમાણે હોઈ શકે : 
-- નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રકાશન ન થયું હોય.
-- કર્તાને પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય.
-- પુસ્તકમાં કોઈ કર્તાની કૃતિ ન છપાઇ હોય.
૬ : સંભવિત એવી કોઇપણ ક્ષતિ વખતે જવાબદાર કોણ? પ્રકાશક કે સમ્પાદક? આપણે ત્યાં સામાન્ય રીતે પ્રકાશકે કર્તા સાથે કરાર નથી કર્યો હોતો, તેથી જવાબદાર તો સમ્પાદક જ ગણાય. કર્તા સાથે સૌ પહેલો જોડાનાર સમ્પાદક છે. સમ્પાદકીય આશય એ બન્નેને જોડનારી કડી છે. એ હકીકત સૂચવે છે કે સમ્પાદક વ્યવહારુ તેમજ નૈતિક ધોરણે કર્તા સાથે પૂરેપૂરો બંધાયેલો છે.
૭ : એ સંજોગોમાં, સમ્પાદકે જાહેર કરવું જોઈએ કે આવાં કારણોસર મૉડું થયું છે, કહેવું જોઈએ કે અમુક સમયે, પુસ્તક પ્રકાશિત થઈ જશે. પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય તો સમ્પાદકે પ્રકાશકને કહેવું જોઈશે. કોઈની કૃતિ ન છપાઈ હોય તો પ્રકાશકે તેમજ સમ્પાદકે ક્ષમાપૂર્વક કહેવું જોઈશે કે પુનર્મુદ્રણ થશે તેમાં ઉમેરી લઈશું. 
આ ૭ કલમો અનુસાર થનારું સમ્પાદન-પ્રકાશન આદર્શ ગણાય. 
પરન્તુ, આપણે ત્યાં આજકાલ, છેલ્લા દાયકા દરમ્યાન, સામાન્યપણે બને છે શું તે જાણવા જેવું છે.
અ : સમ્પાદકો કર્તાને આશયની સ્પષ્ટતા જવલ્લે જ કરે છે. વિધિવત પૂર્વસમ્મતિ નથી માગતા. ફોન કરી એટલું જ કહે છે -સમ્પાદનમાં તમારી વાર્તા લીધી છે, કાવ્ય લીધું છે, નિબન્ધ લીધો છે. કર્તાને સમ્પાદકની પસંદગી યોગ્ય ન લાગે, તો પોતાનો નિર્ણય બદલતા નથી, બહાનું બતાવે છે કે બધું પ્રેસમાં પ્હૉંચી ગયું છે. કોઈ કોઈ સમ્પાદકો તો એમ કહી દે છે કે કંઈપણ પ્રકાશકને પૂછો, મને નહીં. આ કારણે કહેવું પડે છે કે સમ્પાદકો પોતાને સમજે છે શું. તેઓ સાહિત્યસંસારમાંથી યથેચ્છ ચીજો ઉપાડી જાય અને કર્તાને સહાય કરવાને બદલે ઉપરહાથ રાખી મોટાઇ દાખવે? 
બ : પસંદગી પામેલ કેટલાક કર્તાઓ પણ હરખના માર્યા કશું જ પૂછતા નથી, ફુલાયા કરે છે.
ક : પુસ્તક નક્કી સમયે આવે નહીં, પુરસ્કાર કે નકલ મળે નહીં, ત્યારે કર્તા ઊંચોનીચો થાય છે ખરો, પણ પેલો ફુલારો એને ટાઢો પાડી દે છે. 
ડ : પોતાની કૃતિ સમ્પાદકે સ્વીકારેલી છતાં ન આવી હોય, તો, પેલા ફુલારામાં કાણું પડે છે, ને કર્તા ધૂંઆપૂંવા થવા માંડે છે. 
ઈ : મેં મારી દીર્ઘ કારકિર્દી દરમ્યાન જોયું છે કે આપણે ત્યાંની સમ્પાદનવિષયક દરેક ચર્ચામાં, એક જ મુદ્દો ટિપાય છે કે -આનું કેમ લીધું ને તેનું કેમ ન લીધું. સમ્પાદકીય આશય વિશે ભાગ્યેજ પૃચ્છા થાય છે, સમ્પાદકીય લેખ કે નૉંધમાં તો કોઈ નજરેય નથી નાખતું. કર્તા એટલી નજર નાખી લે છે કે લેખમાં પોતાનું નામ છે કે નહીં, નૉંધમાં વખાણ છે કે કેમ. 
આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ થવા માંડ્યાં છે તેથી સમ્પાદનો કે અન્ય પ્રકાશનો માટે નવેસર વિચારવું જરૂરી બને છે. 
---
*ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ કે

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.