सीधे मुख्य सामग्री पर जाएं

ધર્મગુરુઓ વીવીઆઇપીની જેમ વર્તે અને ફાઇવસ્ટાર સવલતો ભોગવે, ભક્તોને આ સમજણ કેમ નથી?

- તૃપ્તિ શેઠ* 
અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે સત્સંગ પૂર્ણ થયાં પછી લગભગ 50 હજાર અનુયાયીઓ જવા માટે ઊભા થયાં પરંતુ બાબાના સેવકોએ બાબાના કાફલાને બહાર કાઢવા માટે  લાંબો સમય સમય સુધી ભીડ ગરમી અને ભેજમાં ઊભા રહયાં. ગરમી, ભેજ અને ભીડમાં ગુંગળામણને કારણે અનુયાયીઓ બેભાન થઈ ગયાં અને નીચે પડ્યાં ; સેવકોના ગયાં પછી અનુયાયીઓએ બહાર નીકળવા માટે નાસભાગ મચી અને 127 લોકો મૃત્યુ પામ્યા. (Reason For Hathras Accident Stampede Occurred While Taking Out Baba Convoy Sevadars Stopped 50 Thousand Follow - Amar Ujala Hindi News Live - हाथरस हादसे की वजह:बाबा के काफिले को निकालने के चक्कर में मची भगदड़, सेवादारों ने रोक दिए थे 50 हजार अनुयायी). 
એક યૂટ્યૂબ ચેનલ પ્રમાણે હોસ્પિટલમાં લાશ માટે જગ્યા ન હતી એટલે લાશ દાદરાઓ  મૂકવામાં આવી હતી અને બાળકો માતાની લાશ પાસે બેસીને રડતાં હતાં. આટલું હ્રદયદ્રાવક દ્રશ્ય !!! એ રાક્ષસ બાબો ભાગી ગયો અને એ રાક્ષસના નામે હજી સુધી એફઆઇઆર પણ નોંધાઈ નથી. આ દ્રશ્યની કલ્પના કરી શકાય કે દાદરાના પગથિયાં પર લાશો પડી હોય અને બાળકો રડતાં હોય! એવું કહ્યું કે પોલીસોનું પણ હૈયું આ જોઈને વલોવાઇ રહ્યું હતું.  કેટલું બેફામ મોત!
મને એ સમજ નથી પડતી કે આવા બાબાઓ અને એમના સત્સંગ અને કથાઓ પાછળ આપણે પાગલ કેમ છે ? એ આપણાં કરતાં પણ નબળા છે. એ બંગલામાં એસીવાળી  ફાઇવ સ્ટાર ઝુંપડી બાંધીને રહે, એસી મોંઘી ગાડીઓમાં ફરે , માલમલિદા ખાય , અને સૌથી મહત્વની વસ્તુ “ ભેટ “ની મહાલાલચ ! અને આપણે મહાન માનવી અહોભાવથી એમની વાતો કરીએ અને પગે પડીએ.
ધર્મમાં માનવું કે ન માનવું એ દરેકની વ્યક્તિગત બાબત છે પણ આવા આડંબરને તો ઓળખીએ. તીર્થસ્થાનોમાં જઈ પૂનમ ભરવાની , અગિયારસ ભરવાની , વારતહેવારો પર ધાર્મિક સ્થળો પર ઢગલાબંધ લોકોનું ભેગું થવું અને હૈયું દળાઈ જાય એવી ભીડમાં બાળકોને લઈ જવું વગેરે વગેરે . 
ધર્મગુરુઓ તો વીવીઆઇપીની જેમ વર્તે અને ફાઇવસ્ટાર સવલતો ભોગવે છે  . ભક્તોને આ બધાંની સમજણ કેમ નથી ?  હું મારી આજુબાજુના લોકોને જોઉ છુ અને મને ખ્યાલ આવે છે કે એક જાય એટલે બીજો કે બીજી એટલે જાય કે ફરી આવીશું. બસો ભરીને જાય અને લોકો સત્સંગ કમ ઉજાણી કરે.
આ નિમ્નમાનવ ભાગી ગયો. ભોગવ્યું લોકોએ ! મહેરબાની કરીને “કર્મ કર્યા હોય એવા ફળ મળે “ એવી વાત ન કરશો. please ! આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરુર છે. દર્શન કરવાં છે તો ભીડ ન  હોય ત્યારે જાવ. રજાના દિવસની જગ્યાએ ચાલુ દિવસે જાવ. નાના બાળકોને લઈને નહીં જાવ. “મને કશું જ નહીં થાય “ એવા વહેમમાં રહેવું નહીં. કોઈવાર આપણે કોઈને કહીએ કે તમે આટલી ભીડમાં જશો ? તો કહેશે ભગવાનની ઘેર જ જઈએ છે એ સાચવી લેશે. “ ના , આ અંધશ્રદ્ધા છે. કોઈ ભગવાન એવું નથી કહેતાં કે મારા સ્થાનમાં આવીને ભીડ કરો અને અમાનવીય ત્રાસ ભોગવો . “ “મન ચંગા તો કથરોટમે ગંગા “ !
ધર્મગુરુઓમાં તો હોડ લાગી છે કે હું કેટલા શિષ્ય બનાવું ? મોટાભાગના ધર્મગુરુઓ માટે એનો અનુયાયી એક માથું છે જે સંખ્યા વધારે છે અને ભેંટ ધરે છે. એથી વધારે એને મહત્વ હોય તો આટલા લોકોને ભેગાં કરીને એમની જિંદગી સાથે ન રમે. સાઉદી અરબમાં હજ દરમિયાન 1301 હજયાત્રીઓના ગરમીથી મૃત્યુ થયાં. એમાંના મોટાભાગના લોકો ગેરકાયદેસર ગયાં હતાં ને 50 ડિગ્રીથી ઉપરની ગરમીમાં એમની પાસે રહેવાનું ઠેકાણું ન હતું અને એ મૃત્યુ પામ્યા (1,301 Hajj pilgrims die in Saudi | સાઉદીએ કહ્યું- હજમાં 1,301 યાત્રીઓના મોત: મોટાભાગના ગેરકાયદેસર રીતે મક્કા પહોંચ્યા હતા, અમે 1 લાખથી વધુ ગેરકાયદે હજયાત્રીઓની સારવાર કરી | Divya Bhaskar)  
આપણે ખબર છે કે હિમાલયને કોરીકોરીને પોલો અને નબળો બનાવી દીધો છે. ભૂસ્ખલન થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે તો પણ લોકો જાય છે. પછી પોલીસ, આર્મી, માંદગી અને ઘણીવાર મૃત્યુ.મને યાદ છે આસારામબાપુની પૂનમ ભરવા લોકો અન્ય રાજયોમાંથી પણ ટ્રેનમાં આવતાં અને ટ્રેનના પગથિયાં પર બેસીને કે લટકાઈને આવતાં. કેટલાંક ધર્મગુરુને ત્યાં તો છોકરી પરણે એટલે સાસરીવાલા એને પ્રસાદી તરીકે મહારાજને ભેટ ધરે અને અને મહારાજ ભોગવે. (લખતા જ રૂવાડાં ઊભા થઈ જાય છે તો એ છોકરીની હાલત શું થતી હશે! ) તો પણ અનુયાયીઓની સંખ્યામાં ત્રુટિ ન આવે. નૈતિકતા, શિસ્ત , લોભલાલચ જ્યાં હોય ત્યાં ધર્મ હોય ? વિચારવાનું છે . ખૂબખૂબ વિચારવાનું છે. મા મરી જશે તો બાળકનું શું ? દીકરો મરી જશે તો માતપિતાનું ,પત્ની , બહેનનું કોણ ? આવા નિર્ણય લેતાં પહેલાં ખૂબ વિચારીએ. સરકાર પણ ગુનેગાર છે , પરંતુ એનાથી વધારે ધર્મગુરુઓ ગુનેગાર છે અને એનાથી વધારે અંધશ્રદ્ધાગ્રસ્ત લોકો !!
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,