सीधे मुख्य सामग्री पर जाएं

અમેરિકનને ટેકનોલોજીની પ્રેરણા આપવાની અને આપણને માત્ર ગોળગોળ/ પોલાંપોલાં ઉપદેશો?

- રમેશ સવાણી 

WhatsApp યુનિવર્સિટી કરતા પણ વધુ જુઠ્ઠાણું કોઈ ફેલાવતું હોય તો તે છે કોર્પોરેટ કથાકારો/ સ્વામિનારાયણના સાધુઓ/ વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો/ શ્રી શ્રીઓ/ સદગુરુઓ/ બાબાઓ/ બાપુઓ ! આ સ્થિતિ અન્ય ધર્મમાં પણ જોવા મળે છે. ભગવાનના ‘એજન્ટ’નું ચરિત્ર સરખું જ હોય છે. ભગવાનની કથામાં સત્ય પર ભાર મૂકવાને બદલે કોર્પોરેટ કથાકારો Baseless/ Senseless/ Illogical વાતો કરે છે !
ઉદાહરણ તરીકે અનિરુદ્ધાચાર્ય મહારાજ (34)ને જ જોઈ લો. લોકો તેમની કથાઓમાં ધર્મની વાતો સાંભળવા જાય છે પરંતુ તેઓ ધર્મની વાત કરવાને બદલે મહાગપ્પાં સંભળાવે છે ! અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દામોહી જિલ્લાના રિવઝા ગામના છે. તેઓ ભાગવત કથાકાર છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો ભક્તો જૂએ છે. પાંચ ધોરણ સુધી ભણેલા અનિરુદ્ધાચાર્યની કથા સાંભળવા સ્નાતકો/ અનુસ્નાતકો/ Ph.D ડીગ્રીધારી સહિત પ્રચંડ જનમેદની ઉમટે છે !
તેમની અમૃતવાણીના થોડાં ઉદાહરણ જોઈએ : “હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય ! મારે પાસે ઘણાં સવાલો છે, જે સાયન્સ પાસે નથી. કોઈ વિજ્ઞાનના જાણકાર મારી પાસે આવે અને વાત કરે તો હું એને સંતુષ્ટ કરી દઈશ પરંતુ તે મને સંતુષ્ટ નહીં કરી શકે. કેમ કે મારી પાસે એવા સવાલ છે કે જે સાયન્સ પાસે નથી પણ સાયન્સના લાખો સવાલ મને પૂછો જેના ઉત્તર હું આપી શકું છું !”
“તમે ક્યારેય ગાયના છાણથી મોં ધોયું? શુદ્ધ ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય છે, એની ગેરંટી આપું છું !”
“વોશરુમ જતા પહેલા કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો. કેટલું વૈજ્ઞાનિક છે ! આપણા કાનમાં એક નસ હોય છે, તેનું કનેક્શન મૂત્રેન્દ્રીય સાથે હોય છે. કાન પર જનોઈ વીંટાળવાથી પ્રેશર થાય છે જેથી બાથરુમ આરામથી કરી શકો છો !”
“આ વખતે કોને જીતાડશો? જે રામને લાવ્યા ! આ વખતે ઋણ ચૂકવવાનું છે. એમની લંકા સળગાવજો જે રામમંદિરનો વિરોધ કરતા હતા ! આ વખતે જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે !”
“આઈફોનનું નામ સાંભળ્યું છે? તે કંપનીના પ્રોડક્ટમાં લોગો હોય છે બટકું ભરેલું સફરજન ! તમને ખબર છે આ લોગો કેમ બન્યો? ભારતના એક દિવ્ય સંત નીબ કરોલી બાબા હતા. તેમની પાસે અમેરિકાથી એક શિષ્ય આવ્યો. તેણે બાબાને કહ્યું કે ‘અમે એક ફેકટરી બનાવીએ છીએ, તેનું સિમ્બોલ શું રાખવું? તે વખતે બાબા પાસે એક Apple પડ્યું હતું. બાબાએ એપલને બટકું ભરીને  એને પકડાવી દીધું ! બસ, આ એપલને તેણે પોતાની કંપનીનો લોગો બનાવી દીધો ! એપલ આજે દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ છે !”
વિચારો ! આમાં ક્યાંય ધર્મની વાત આવી? ‘હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય !’ આ મિથ્યાભિમાન નથી? દુનિયામાં કોઈ પણ ધર્મના એજન્ટે એક પણ વૈજ્ઞાનિક શોધ કરી નથી. તમામ કોર્પોરેટ કથાકારો વિજ્ઞાને શોધેલી  વસ્તુઓ વાપરે છે; કાર, પ્લેન, AC, ફ્રિજ, મોબાઈલ, સાઉન્ડ સીસ્ટમ વગેરે. છતાં સાયન્સને ચૂપ કરવાની વાત કરી લોકોને ભ્રમિત કરતા નથી? ‘ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય’ એમ કહીને અંધશ્રદ્ધા ફેલાવતા નથી? ‘કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો’ એવા ઉપદેશનો કોઈ અર્થ ખરો? જનોઈનો અધિકાર તો ઉપલા વર્ણના લોકોનો છે, આ અધિકારથી બહુજન સમાજ વંચિત છે, એનું શું? વળી અન્ય ધર્મના લોકો જનોઈ પહેરતા નથી છતાં બાથરુમ આરામથી કરે છે, તો કાન પર ત્રણ વળ ચડાવવાનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ ખરો? ‘જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે !’ એમ કહેનાર કથાકાર કહેવાય કે રાજકીય પક્ષનો એજન્ટ? મોદીજી હારે તો રામ કઈ રીતે હારી જાય? એપલ કંપનીનો શ્રેય નીબ કરોલી બાબાને આપી શકાય? હકીકત એ છે કે નીબ કરોલી બાબા 11 સપ્ટેમ્બર 1973ના રોજ અવસાન પામ્યા હતા અને એક વરસ પછી 1974માં સ્ટીવ જોબ્સ ભારત આવ્યા હતા !
ચાલો માની લઈએ કે નીબ કરોલી બાબાએ બટકું ભરીને સ્ટીવ જોબ્સને સફરજન આપ્યું હતું; તો સવાલ એ છે કે આપણા સંતો/  કથાકારો, આપણા લોકોને એપલ કંપની ઊભી કરવા; એપલ જેવા ફોન/ કોમ્પ્યુટર બનાવવા કેમ પ્રેરણા આપી શકતા નથી? શું આપણા સંતો/ કથાકારોને અમેરિકનનો જ મોહ હશે? અમેરિકનને ટેકનોલોજીની પ્રેરણા આપવાની અને આપણને માત્ર ગોળગોળ/ પોલાંપોલાં ઉપદેશો જ આપવાના? માત્ર મિથ્યાભિમાનની વાતો કરી શ્રોતાઓને ભ્રમિત કરવાના?
---
*સ્રોત:ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,