सीधे मुख्य सामग्री पर जाएं

એમનું કાર્ય: મુખ્ય સચિવની પાંખો કાપી ગેરકાયદેસર હોદ્દાનો ઉપયોગ કરી વ્યવસ્થાને કંટ્રોલ કરવો

- રમેશ વસાણ 
મોદીજી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત ખાતે 1979 બેચના એક IAS અધિકારીની સૂબા તરીકે નિમણૂંક કરી હતી ! તેનું નામ છે કે. કૈલાસનાથન. તેમનું કામ હતું મુખ્યમંત્રી/ ચીફ સેક્રેટરી ઉપર દેખરેખ રાખવાનું ! તેમને ગુજરાતના મુખ્યમંત્રીના Chief Principal Secretaryનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેઓ ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી મોદીના અગ્ર સચિવ તરીકે હતા. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત આ હોદ્દા પર ચીટકાવીને રાખવામાં આવ્યા હતા. 30 જૂન 2024ના રોજ તેમનો છેલ્લો દિવસ હતો. કેટલાંય કાળા કામોના સાક્ષી છે આ સૂબાજી ! એટલે મોદીજી તેમને યોગ્ય જગ્યાએ ગોઠવશે !
IAS/IPS અધિકારીઓ જાણતા હતા કે ગુજરાતમાં મુખ્યમંત્રીનું કંઈ ઉપજતુ નથી એટલે તેઓ આ સૂબાનો સંપર્ક કરતા હતા અને પ્રસાદી આપી ક્રીમ પોસ્ટિંગ મેળવતા હતા ! તેના કારણે ભ્રષ્ટ IAS/ IPS બેફામ બન્યા હતા. તેથી જ ગુજરાતમાં ઠેરઠેર દારુ અને જુગારના કેન્દ્રો ધમધમતા હતા, લઠ્ઠાકાંડ થતાં હતા ! બેફામ ખનીજ ચોરીઓ થતી હતી. ગુજરાતની એકેએક નદીને ખનીજ માફિયાઓએ ખોદી નાખી છે. તેના કારણે જ નદીઓ પ્રદૂષિત બની છે. તેના કારણે જ રાજકોટ ગેમ ઝોન જેવા હત્યાકાંડો થતાં હતાં. તેમના કારણે જ દલીતોની હત્યાઓ થતી હતી. આદિવાસીઓની જમીન છીનવાતી હતી. IAS/ IPS અધિકારીઓ રાતદિવસ માત્રને માત્ર પૈસા રળવામાં લાગેલા હતા, તેમને સૂબાનું સંરક્ષણ હતું ! રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી 75 લાખનો તોડ કર્યો, તેની ફરિયાદ સતાપક્ષના MLA/ MPએ કરી છતાં મનોજ અગ્રવાલનો વાળ પણ વાંકો ન થયો ! કેમકે તેમને સૂબાનું સંરક્ષણ હતું ! વિચિત્રતા એ હતી કે મુખ્યમંત્રી ઈચ્છે તો પણ IAS/ IPS અધિકારીઓ સામે પગલાં લઈ શકતા ન હતા ! વહિવટીતંત્રને સાવ ખોખલું કરવામાં આ સૂબાએ મહત્તમ યોગદાન આપેલ. તેમણે કેટલાંય નિષ્ઠાવાન IAS/ IPS અધિકારીઓ અને મુખ્ય સચિવોની જિંદગી બગાડી નાખી હતી !
કેટલાંય મોટા મોટા સરકારી કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ રાખવામાં આવતા અને સૂબાજીનો સંપર્ક કર્યા બાદ પેમેન્ટ રીલીઝ થતું. ‘કમલમ’ને આર્થિક તાકાત આપવામાં તેમનું ઐતિહાસિક યોગદાન છે !
ઘણી વખત લોકોને આશ્ચર્ય થતું કે લોકોની વેદના બાબતે હાઈકોર્ટ માથા પછાડે છે, છતાં સરકાર/ મુખ્યમંત્રી કડક પગલાં કેમ લેતા નથી? સરકાર સંવેદનશીલ કેમ નથી? પરંતુ આ એવી લોકશાહી વ્યવસ્થા હતી જેમાં મુખ્યમંત્રીના હાથ સૂબા દ્વારા મોદીજીએ બાંધી રાખ્યા હતા ! 
વડાપ્રધાન બન્યા છતાં સૂબા દ્વારા ગુજરાતનો વહિવટ કરવાની મનોદશા મોદીજી ત્યાગી શક્યા ન હતા ! મુખ્ય સચિવની પાંખો કાપવા, એક ગેરકાયદેસરનો હોદ્દો ઊભો કરી વ્યવસ્થાને અંગત સ્વાર્થ માટે કંટ્રોલ કરવી તે બિલકુલ ગેરબંઘારણીય કૃત્ય ગણાય. સત્તા માણસને વિવેકહીન પણ બનાવી મૂકે છે !

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.