सीधे मुख्य सामग्री पर जाएं

પ્રશ્ન માત્ર EVMનો નથી પરંતુ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે, દોષિત છે સંઘ પરિવારના મનુવાદી પરિબળો

- ઉત્તમ પરમાર 

ભારતીય રાજનીતિમાં આજે ફરીથી એલન મશ્કને કારણે
ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યો છે. ઇવીએમ હેક થાય છે કે હેક નથી થતું એ પ્રશ્ન તપાસ માંગી લે છે.
પરંતુ પ્રશ્ન માત્ર ઇવીએમનો નથી, ખરો પ્રશ્ન ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારનો છે. અને ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી ચૂંટણીથી થતો આવ્યો છે.
ભારતીય રાજનીતિમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારના જનક ભારતીય સમાજ વ્યવસ્થાના સ્થાપિત વર્ગીય લોકો, મનુવાદી પરિબળો, જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી પરિબળો રહેતા આવ્યા છે.
અને તેઓ સાતત્ય પૂર્વક એક યા બીજા સ્વરૂપમાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપણને સમાન મતાધિકાર, સમાન ભાગીદારી અને સમાન અધિકાર વાળી આઝાદી અપાવી ત્યારથી ભારતીય સમાજ વ્યવસ્થાના મનુવાદી વર્ણ વ્યવસ્થાના સ્થાપિત જાતિવાદી વર્ગોનું આધિપત્ય તૂટવા માંડ્યું છે...
આ ક્રાંતિકારી શાંતિમય અહિંસક પરિવર્તનને લોકતાંત્રિક માર્ગે આવતું રોકવા માટે મનુવાદી પરિબળો પોતે લઘુમતીમાં હોવાને કારણે સાતત્ય પૂર્ણ રીતે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા રહ્યા છે.
ભારતીય સમાજ વ્યવસ્થા ના જમીનદાર જાગીરદાર અને મૂડીવાદી પરિબળો પણ જનવાદી આઝાદીને અવરોધવા માટે સાતત્ય પૂર્વક ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે.
શરૂઆતમાં મતપેટી દ્વારા મતદાન થતું ત્યારે ભારતના શોષિત, વંચિત, ગરીબ લોકોને પૈસા આપીને, વસ્તુઓની ભેટ આપીને, દારૂ પીવડાવીને જમીનદારો જાગીરદારો અને મૂડીવાદી લોકો પોતાની તરફેણમાં ગરીબો પાસે મતદાન કરાવી લેતા.
ગામડામાં જમીનદાર લોકો હળપતિ ,આદિવાસી, દલિતો ને પોતે મત નથી આપી આવ્યા તેની ખાતરી કરીને મતદાન પત્યા પછી પૈસા આપીને ગરીબોનું મતદાન રોકવા માટેના પ્રયત્ન કરતા હતા.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં જમીનદારો જાગીરદારો પોતાના ગુંડાઓ પાસે મતપેટીઓ લૂંટાવીને જનાધારને નકારવાના હિંસક પ્રયત્નો કરતા. તો બીજી બાજુ એ જ ગુંડાઓ પાસે ગરીબ મતદારોની જગ્યાએ બોગસ વોટીંગ કરીને જનાધારને પોતાની તરફેણમાં પલટાવતા...
સમાજના સ્થાપિત વર્ગો મતદાન બુથ ઉપર પોલીંગ ઓફિસર, પોલિંગ એજન્ટ, પોલીસ અને વ્યવસ્થા તંત્રને પોતાના કબ્જામાં લઈને મતદાન પોતાની તરફેણમાં કરવાના પરાક્રમો પણ કરતા.
ભારતીય રાજનીતિમાં 1915થી હિન્દુ મહાસભા અને 1925 થી સંઘ પરિવાર સૌની સમાન ભાગીદારી અને સૌનું સમાન અધિકાર તથા સૌનો સમાન મતાધિકાર આ ત્રીપરિમાણીય ક્રાંતિ નો વિરોધ કરતા આવ્યા છે...
આઝાદીના સાથે ઉત્તરો ઉત્તર સમાજના મનુવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો, મૂડીવાદીઓ અને જાતિવાદી તથા કોમવાદી પરિબળો સંઘ પરિવાર તથા હિન્દુ મહાસભાના પ્લેટફોર્મ પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે એકત્ર થવા માંડ્યા.
આઝાદી પછી જનસંઘ હોય કે ભાજપ હોય એ હંમેશા ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરીને જ પોતે લઘુમતીમાં હોવા છતાં પોતાની રાજકીય વર્ગ વિસ્તારી રહ્યા હતા અને છે...
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014માં અને 2019માં સંઘ પરિવારની સ્વતંત્ર બહુમતી પ્રાપ્ત કરવા માટે પોતાનો જનાધાર ન હોવા છતાં ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચારથી જ પોતાની સત્તા મેળવી છે અને ટકાવી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર દ્વારા જ લડાઈ છે. માત્ર મતદાન જ નહીં પરંતુ સંપૂર્ણપણે ન્યાયતંત્રથી લઈને બધી જ સ્વૈચ્છિક સંસ્થાઓને વિપક્ષ વિરોધી ષડયંત્ર માં સામેલ કરીને વિપક્ષને ચૂંટણી પહેલા જ નબળો પાડવામાં આવ્યો હતો, આર્થિક રીતે પણ વિપક્ષને નુકસાન થાય એવા બધા ષડયંત્રો કરવામાં આવ્યા હતા. મતદારને કોમી લાગણીથી ઉશ્કેરીને એના મત સ્વાતંત્રને ફેરવવામાં આવ્યું હતું.
મતપેટી હોય કે ઇવીએમ હોય કે ભવિષ્યમાં અન્ય કોઈપણ સાધન પદ્ધતિ દ્વારા મતદાન કરાવવામાં આવશે પરંતુ સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના લઘુમતીમાં રહેલા સ્થાપિત વર્ગો ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરશે ,કરશે અને કરશે જ!
મનુવાદી જાતિવાદી પરિબળો, કોમવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મુડીવાદી પરિબળો ભારતીય લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાં લઘુમતીમાં હોવાને કારણે પોતાની લઘુમતી હોવા છતાં તેમને સત્તા ભોગવવી હોય તો તેમણે ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર કરવો જ પડે. અને એટલે તેઓ ઇલેક્ટ્રોલ ભ્રષ્ટાચાર સાતત્ય પૂર્વક કરતા આવ્યા છે. અને કરતા રહેશે.
મતપેટી નિર્દોષ છે, ઇવીએમ નિર્દોષ છે, દોષિત માત્ર સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાના મનુવાદી પરિબળો, જાતિવાદી પરિબળો, કામવાદી પરિબળો, જમીનદારો, જાગીરદારો અને મૂડીવાદીઓ છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.