सीधे मुख्य सामग्री पर जाएं

ભારતીય સંસ્કૃતિની બે મહાન વિભૂતિઓ: મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ

- ઉત્તમ પરમાર 

આપણને આજે વિરાસતમાં જે આધુનિક પ્રગતિશીલ ભારત મળ્યું છે, તેનું કારણ આઝાદીના આંદોલન દરમિયાન ઘટેલી બે મહાન ઘટનાઓ છે.
1. વિશ્વ વંદનીય રાજપુરુષ પંડિત જવાહરલાલ નેહરુએ મહાત્મા ગાંધીના ચરણોમાં પોતાના વ્યક્તિત્વનું કરેલું સમર્પણ.
2. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરુની કરેલી પસંદગી.
ઉપરોક્ત બંને ઘટનાઓને કારણે આધુનિક પ્રગતિશીલ ભારતનું સર્જન થયું, જેનો આજે આપણે ઉપભોગ કરી શકીએ છીએ અને ભારતીય વિશ્વ માનવ તરીકે વિકસી શકીએ છીએ.
પંડિત નહેરુ ને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તમારા જેવા વિશ્વ પ્રસિદ્ધ રાજપુરુષે પોતાના વ્યક્તિત્વનું ગાંધીજી જેવા સામાન્ય દેખાતા નેતૃત્વના ચરણોમાં સમર્પણ કેવી રીતે કર્યું?
પંડિત નહેરુ કહે છે કે હું વિદેશ અભ્યાસ કરવા ગયો ત્યારથી ભારતની આઝાદીના સપના જોતો હતો અને મારા નિરીક્ષણમાં આવ્યું હતું કે કહેવાતા ક્રાંતિકારીઓ કાયરતા પૂર્ણ હિંસક ઘટનાઓ દ્વારા આઝાદી મેળવવાના પ્રયત્નો કરતા હતા. પરંતુ હિંસક ક્રાંતિકારીઓની દરેક હિંસક ઘટના પછી સ્થાનિક રૈયત વધુ નિર્માલય બની જતી, ડરપોક બની જતી ,ભયભીત બની જતી અને પોતાના ઘરમાં પુરાઈ રહેતી. અને કહેવાતા ક્રાંતિકારીઓ કાયરતા પૂર્ણ રીતે ભૂગર્ભમાં ચાલ્યા જતા અને સ્થાનિક રૈયત અંગ્રેજોના સૈન્યના અત્યાચારની ભોગ બનતી.
આવી નિરાશા જનક પરિસ્થિતિમાં ગાંધીજી આવે છે અને તેમણે સૈન્યશક્તિની જગ્યાએ ભારતીય રૈયતમાંથી અહિંસક નાગરિક શક્તિ નિર્માણ કરવા માંડી. હિંસક ક્રાંતિકારીઓની કાયરતા પૂર્ણ ભાગેડુ વૃત્તિને કારણે જે સ્થાનિક રૈયત અંગ્રેજ પોલીસના અત્યાચારો માંથી બચવા માટે ઘરમાં ભરાઈ જતા હતા તે નીડર નાગરિક બનીને અંગ્રેજ અધિકારીઓ સામે નિર્ભયતા પૂર્વક સત્યાગ્રહ કરતાં થયા.
પંડિત નહેરુ કહે છે કે જે કાયર ક્રાંતિકારીઓની હિંસા અને તેની પ્રતિક્રિયામાં સામાન્ય જનતામાં ભય ના નિર્માણ થતા વાતાવરણથી હું હતાશ થતો હતો અને મને આ હિંસક ક્રાંતિકારીઓમાં કોઈપણ આપણા દેશને આઝાદ કરાવવાની મને આશા દેખાતી નહોતી.... તેની જગ્યાએ ગાંધીજી માંથી જે અહિંસક સત્યાગ્રહ અને સૈન્યશક્તિની જગ્યાએ નાગરિક શક્તિ નિર્માણ કરવાની વિશેષતા જોવા મળી તેનાથી હું અભિભૂત થઇ ઉઠ્યો અને મને ગાંધીજીના નેતૃત્વમાં વિશ્વાસ બેસી ગયો કે હવે દેશ ગાંધીજીના રસ્તે અવશ્ય આઝાદી પ્રાપ્ત કરશે.
મારી આ સમજણથી મે ગાંધીજીના ચરણોમાં દેશની આઝાદી માટે મારા વ્યક્તિત્વનું સમર્પણ કરી દીધું.
પંડિત નહેરુના આ સમર્પણને કારણે ગાંધીજીના સ્વાતંત્ર્ય આંદોલનને ખૂબ મોટું બળ મળ્યું.
ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનની સફળતાની આ પહેલી ઘટના છે કે જેને કારણે આપણને લોકતાંત્રિક આઝાદી મળી.
બીજી સૌથી મોટી ઘટના તે મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત નહેરુની કરેલી પસંદગી છે.
ગાંધીજીએ પંડિત નહેરુની પસંદગી કરી તેના મુખ્ય કારણોમાં 
1. પંડિત નહેરુની વૈશ્વિક સ્વપ્નદ્રષ્ટા વિદ્વાન રાજપુરુષ તરીકેની પ્રતિભા 
2. પંડિત નહેરુનું લિંગભેદ,જાતી ભેદ અને ધર્મભેદ વગરનું સર્વધર્મ સમભાવી અને ધર્મનિરપેક્ષ રાજનીતિજ્ઞ તરીકેનું ચરિત્ર 
3. પંડિત નહેરુની ભારત દેશના ગરીબમાં ગરીબ છેવાડાના માણસ પ્રત્યેની સમાજવાદી પ્રતિબદ્ધતા 
4. પંડિત નહેરુનું વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને વૈશ્વિક માનવવાદી ચરિત્ર.
ઉપરોક્ત ચારે લક્ષણો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પંડિત નહેરુના પરિચયમાં આવવાની સાથે પામી ગયા હતા..... અને પંડિત નહેરુના આ લક્ષણોને કારણે આઝાદીના આંદોલન દરમિયાન જ ગાંધીજી પંડિત નહેરુને પોતાના રાજકીય વારસદાર તરીકે ઘોષિત કરી દીધા હતા.
પંડિત નહેરુ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે ગાંધીજીની ઈચ્છા મુજબ નિયુક્ત થયા હતા જેને સરદાર પટેલ સહિત પ્રત્યેક કોંગ્રસીનું હૃદય પૂર્વકનું અપવાદ વગરનું સમર્થન હતું.
પંડિત નેહરુએ આઝાદ ભારતના પ્રધાનમંત્રી તરીકે 17 વર્ષ સુધીનું કરેલું સફળતાપૂર્વકનું નેતૃત્વને કારણે ભારતે સમાજ જીવનના અને રાષ્ટ્રજીવનના એકે એક ક્ષેત્રમાં બે નમુન પ્રગતિ કરી હતી. સોઇ થી લઈને વિમાન સુધીના દરેક ઉત્પાદનોમાં આત્મસ્વાવલંબન હાંસલ કરી દીધું હતું....... જમીન સુધારણાના કાયદા દ્વારા ગણોતિયા ઓને જમીન માલિક બનાવ્યા. શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, લોકતાંત્રિક સંસ્થાઓ, બંધો, ડેરીઓ, સહકારી ચળવળ, શ્રમિક અધિકારો, મહિલા અધિકારો, સામાજિક ન્યાયના અધિકારો, દલિતો અને આદિવાસીઓનું સશક્તિકરણ જેવા અનેક પ્રગતિશીલ ઉપક્રમો સાતત્ય પૂર્વક હાથ ધર્યા. અને આધુનિક પ્રગતિશીલ ભારતનું સર્જન કર્યું.
5000 વર્ષની ભારતીય સંસ્કૃતિમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં લડાયેલો સ્વાતંત્ર સંગ્રામ અને પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં આઝાદ ભારતમાં પૂરું પડાયેલું 17 વર્ષ સુધીનું સફળત નેતૃત્વ એ બંને બાબતો ભારત દેશનું અને ભારતીય સમાજ વ્યવસ્થાનું સદભાગ્ય છે.
આ બંને મહાપુરુષોએ સ્વાતંત્ર આંદોલન દરમિયાન અને સ્વાતંત્ર્ય આંદોલન બાદ રાષ્ટ્ર વિરોધી હિન્દુ મહાસભા, સંઘ પરિવાર અને મુસ્લિમ લીગથી દેશને સફળતાપૂર્વક બચાવી લીધો જે આ બંને મહાપુરુષોની સૌથી મોટી ઉપલબ્ધિ હતી.
આમ મહાત્મા ગાંધી અને પંડિત નહેરુના સમન્વિત નેતૃત્વથી આધુનિક ભારતનું સર્જન થયું છે. જે ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું સદભાગ્ય છે.

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,