सीधे मुख्य सामग्री पर जाएं

આપણે જેને ભક્તિ માનીએ છીએ તે તો નાથજીના માનવા મુજબ બહુધા દંભ જ હોય છે

- કિશોરભાઈ ઠાકર* 

પુસ્તક: વિચારદર્શન
પ્રકાર: તત્વજ્ઞાન અથવા તો વાચકો નક્કી કરે તે
લેખક :કેદારનાથજી
અનુવાદ: રમણલાલ મોદી
નવજીવન પ્રકાશન
પાના: 294
પહેલી આવૃતિનું ચોથું પુનર્મુદ્રણ :2008
કિંમત: પચાસ રૂપિયા

જેમણે 'વિવેક અને સાધના’ નામનું પુસ્તક વાંચ્યું નહિ હોય તેમને માટે આ લેખક કેદારાનાથજી અજાણ્યા હશે. તેમનો જન્મ 1884માં થયેલો આથી 1905ની “બંગભંગ’ ની ચળવળ વખતે યુવાન હતા અને રાષ્ટ્રભાવનાથી રંગાઇ ગયા હતા. સરકાર સામે હિંસક પ્રવૃતિ પણ કરેલી અને પછીથી કદાચ ગાંધીજીની અસરમાં છોડી દીધેલી. સાબરમતી આશ્રમમાં અવારનવાર ગાંધીજી સાથે રહેવા પણ આવતા.
દેશસેવાનો આદર્શ હંમેશા રાખીને મુખ્ય કાર્ય તો આધ્યાત્મિક માર્ગમાં સત્યશોધક તરીકેનું જ રહ્યું. આમ કરતા રહીને કેટલાક પ્રવચનો આપેલા, ઉપરાંત જિજ્ઞાસુઓ સાથે પ્રત્યક્ષ કે પત્ર દ્વારા સંવાદ પણ કરેલા. એ વખતે તેમણે મરાઠીમાં વ્યક્ત કરેલા વિચારોને ગ્રંથબદ્ધ કરેલા. રમણભાઈ મોદીએ ગુજરાતીમાં અનુવાદ કરીને ‘વિચાદર્શન' નામાના પુસ્તકમાં મૂક્યા છે. હવે કરીએ પુસ્તકની જ વાત.
આપણે બધાં ઇશ્વર પ્રાપ્તિની ઇચ્છાથી, પરંપરાગત સંસ્કારથી કે જિજ્ઞાસાથી કોઈને કોઈ આધ્યાત્મિક માર્ગે ડગલા તો માંડતા જ હોઈએ છીએ. કેટલાક થોડા આગળ વધે છે અને આધ્યાત્મિક્તાનાં ઊંડાણ અને ગુંચવણોને કારણે બૌદ્ધિક તર્ક કરવાની અશક્તિ કે અનિચ્છાથી કોઇ સંપ્રદાય વિશેષમાં સમર્પિત થઈ જાય છે, તેમાંના મોટેભાગના તો જે તે સંપ્રદાયમાં સૂચવાયેલા કર્મકાંડોમાં સરી પડે છે. કેટલાક તેમાં થોડા ડગલા ભર્યા પછી જ્યાં અને ત્યાં સ્થિર થઈ જાય છે તો બીજાં કેટલાક આધ્યાત્મિક માર્ગ કે ઇશ્વરનું અસ્તિત્વ તર્કસંગત ન લાગતા શરૂઆતથી જ કે તેમાં થોડાઘણા આગળ વધ્યા પછી પાછા ફરીને નાસ્તિક બની જાય છે.
એક સમૂહ એવો પણ છે કે ધર્મ કે ઇશ્વર બાબતે તટસ્થ કે ઉદાસીન છે. પરંતુ સવાલો તો દરેકના ઊભા જ હોય છે. આ દરેકના સવાલોના જવાબ કાંઈક અંશે આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે, ઇતિ મે મતિ
કેદારનાથજીને વાંચતા તેઓ દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામીના પૂર્વસૂરી ભાસે છે. પરંતુ કેદારનાથજીનું ચિંતન વધારે ગહન છતાં સરળ અને નમ્ર તેમજ ખુલ્લાં મનનું છે. કોઈ ધર્મ કે સંપ્રદાય કે શાસ્ત્ર માટે તેમને નથી પક્ષપાત કે નથી પૂર્વગ્રહ. તેમનું ચિંતન મૌલિક છે પરંતુ માત્ર દિમાગની કસરતથી નિપજ્યું નથી, તેની પાછળ તેમના અનુભવ અને સાધનાનો નિચોડ છે. તેમના વિચારો જાણવા પુસ્તક જ વાંચવું રહ્યું. છતાં તેની કે‌ન્દ્રવર્તી વાત જેવી પણ હું સમજ્યો છું તેવી અહીં કહેવા પ્રયત્ન કરું છું.
નાથજી (પછીથી તેઓ કેવળ ‘નાથજી’ તરીકે જ ઓળખાતા) ધ્યાન, મૌન કે ચિતવૃતિ પર કાબૂ રાખવાની વાતનો ઇ‌ન્કાર કરતા નથી. પરંતુ પોતાના અનુભવને આધારે સમજાવે છે કે ઘણી વાર ધ્યાન કે સમાધિ થવા એ આપણા ભ્રમ માત્ર હોય છે. એ જ રીતે ચિત્તવૃતિ પરનો કાબૂ તો ક્ષણિક જ હોય છે. માનો કે આ બધું આપણે પ્રાપ્ત કર્યું તો પણ નાથજીના કહેવા મુજબ આપણામાં ક્ષમા, મૈત્રી, પ્રમણિકતા, પરોપકારવૃતિ, રાષ્ટ્રભક્તિ સહિતની સામુદાયિક હિતની ભાવના, પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ વગેરે જેવા સદગુણોનો પાદુર્ભાવ ના થાય તો ધ્યાન, સમાધિ, ભક્તિ કે આત્મજ્ઞાન વ્યર્થ છે.
આપણે જેને ભક્તિ માનીએ છીએ તે તો નાથજીના માનવા મુજબ બહુધા દંભ જ હોય છે. જેમાં સદગુણોનો વિકાસ કરવાનો ઉદ્દેશ નથી હોતો એવા ઈશ્વરપ્રાપ્તિના પ્રયાસો દંભમાં જ પરિણમે છે અને તેથી જ આપણે ત્યાં દંભનો પ્રભાવ અને નૈતિકતાનો અભાવ વિશેષ છે. નાથજી તેમનો પક્ષ આપણને સરળતાથી ગળે ઉતરે એવા તર્ક અને ઉદાહરણો આપીને સમજાવે છે.
આટલા સંક્ષેપમાં પુસ્તકનું હાર્દ સમજાવી શકાય તેમ નથી આથી જિજ્ઞાસુએ આ પુસ્તક તો વાંચવું જ રહ્યું ઉપરાંત ‘વિવેક અને સાધના’ પણ અવશ્ય વાંચવું એવી ભલામણ હું કરું છું (ગાંધીવાદી અને સમૂળી ક્રાંતિ જેવું ચિંતનસભર પુસ્તક લખનાર શ્રી કિશોરલાલ મશરૂવાળાના મનનું આધ્યાત્મિક બાબતે સમાધાન ‘વિવેક અને સાધના’ દ્વારા થયેલું).
---
*સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.