सीधे मुख्य सामग्री पर जाएं

આનંદી સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ

- સંજય સ્વાતિ ભાવે 

આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારીયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો.તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો.
‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી.
પ્રગતિશીલતા નવરચનાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારીયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધીથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે.
સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે.
સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ acknowledgement ગણી શકાય,જે એકંદર ગુજરાતે પણ કરવાની રહે.
સંસ્થાના કાર્યકર્તાઓએ ઉજવણી આતિથ્ય,ઉમંગ અને આત્મીયતાથી કરી. મહેમાનોને આવકારમાં બે-બે લાડુનું સરસ પૅકેટ આપવામાં આવ્યું.મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવા આ મજાના લાડુ રાગી,મહુઆના પાન અને ટોપરાથી બનેલા હતા.
લાડુ રતનમહાલમાં ચાલતા સંસ્થાના એકમ ‘રાસકુમ’- Raskum ની કાર્યકર્તાઓએ બનાવ્યાં હતાં.આ એકમનો હેતુ ખેતી અને જંગલ પેદાશો પર આધારિત ખાદ્ય અને અન્ય ઉત્પાદનોનાં નિર્માણ તેમ જ વેચાણ દ્વારા સ્થાનિક આદિવાસી મહિલાઓને પગભર કરવાનો છે.
ઉજવણીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાર્યરત એવા સંસ્થાના સાથીઓ અને ટેકેદારો પણ ભારે ઉનાળામાં મુસાફરી કરીને આવ્યાં હતાં.સંસ્થા માટે આસ્થા ધરાવતા કર્મશીલો અને તેના હિતચિંતકો આવવા ખાતર નથી આવ્યાં તે પણ મહેસૂસ થતું હતું. ખૂબ ગરમી અને બફારા છતાં સભાગૃહ પૂરું ભરેલું રહ્યું,અને બહાર પણ આમંત્રિતો ઊભાં હતાં.
ANANDI – Area Networking and Development Initiatives સંસ્થા મુખ્યત્વે અદિવાસી, દલિત અને અન્ય વંચિત મહિલાઓ વચ્ચે કામ કરે છે.
તેના ધ્યેયમાં સ્થાનિક સંગઠનો તેમ જ નેતૃત્વ ઊભાં કરી તેમને મજબૂત બનાવવા, તેમનાં થકી કલ્યાણ યોજનાઓનું અમલીકરણ કરાવવું અને સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવાનો સમાવેશ થાય છે.
સંસ્થાના નીતાબહેન હર્ડીકરે આપેલી ટૂંકી ભૂમિકા બાદ સહુ કાર્યકરોએ ‘ગીત ગા રહે હૈ આજ હમ, રાગિણી કો ઢૂંઢતે હુએ’ ગીત ગાયું. તે પછી દૃષ્ટિ મીડિયાએ બનાવેલી ત્રણ ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બતાવવામાં આવી,જે આનંદી હેઠળ અત્યારે કાર્યરત સંગઠનોમાંથી ત્રણના કામની ઝલક આપે છે.
આ ત્રણ સંગઠનો છે : દેવગઢ મહિલા સંગઠન (દાહોદ-દેવગઢ બારીયા),માળિયા મહિલા શક્તિ સંગઠન (માળીયા-મોરબી)અને મહિલા સ્વરાજ મંચ (શિહોર-ભાવનગર).
દેવગઢ બારીયાના કામને લગતી ફિલ્મમાં જંગલ અને જમીનના અધિકાર તેમ જ નિયમ મુજબ રેશન પૂરવઠા માટેના સંઘર્ષોની વાત આવી.તદુપરાંત સ્ત્રીની ડાકણ ઠરાવીને યાતનાઓ આપવાના કુરિવાજ વિરુદ્ધ નાટક થકી ચલાવેલા જાગૃતિ અભિયાન અંગે પણ જાણવા મળ્યું.પાણી,આરોગ્ય અને બાળલગ્ન પ્રતિબંધ, વિધવા પેન્શનની દિશામાં સંગઠને કરેલી કામગીરીનો પણ તેમાં ઉલ્લેખ થયો છે.
માળિયા શક્તિ સંગઠન પરની ફિલ્મનું નામ ‘મારી વાડીમાં ઝેર નથી આપવું’ એવું છે.તેમાં માળિયા-મિયાણા પંથકમાં જમીન અને ખેતીને રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશકોને કારણે નુકસાન થતું અટકાવવા માટે સંગઠને હાથ ધરેલી કામગીરીની માહિતી હતી.તેમાં ગૌમુત્ર અને છાણથી બનેલા બાયોપેટિસાઈડ અને યોગ્ય બિયારણના ઉપયોગ માટેના માર્ગદર્શન કાર્યક્રમો સાધનરૂપ બન્યા.
શિહોરના મહિલા સ્વરાજ મંચ પરની ફિલ્મના કેન્દ્રસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામતના અધિકારને પગલે ગ્રામપંચાયતમાં મહિલા સરપંચોની ચૂંટણી અને કાર્ય એ મુદ્દો હતો.શિહોરનાં સંગઠનની મહિલાઓએ તેમાં બતાવેલી તાકાતની તેમ જ તેમના માર્ગના અવરોધો વિશે ફિલ્મમાં જોવા મળ્યું.
સંગઠનોએ અનેકવિધ ક્ષેત્રોમાં કરેલાં કામના નિર્દેશો પણ ફિલ્મ્સમાં મળ્યા.તેમાંથી કેટલાંક છે: પાણી અને અન્ન પૂરવઠો તેમ જ સુરક્ષા, રોજગાર, આરોગ્ય, જંગલ અને જમીનનો અધિકાર, શૌચાલય,રસ્તા,શિક્ષણ,બચત જૂથ,અંધશ્રદ્ધા વિરોધ,માહિતી અધિકાર, ઘરેલુ હિંસા – આ યાદી લાંબી થઈ શકે.
ફિલ્મમાં જે દૃશ્યો અને કાર્યકર્તાઓની સાથેની વાતચીત છે તેમાંથી સમજાય કે અવરોધો અનેક છે,જેમના મૂળમાં પિતૃસત્તાક,પુરુષકેન્દ્રી માનસ છે.મહિલાઓને ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ હોય.
ગ્રામ પંચાયતની ચૂંટણી લડતાં અટકાવવા માટે ધામધમકી અને મારપીટ થાય.મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતમાં અવિશ્વાસનો ઠરાવ આવે.મહિલાને ડાકણ ઠેરવી અસહ્ય યાતના આપવામાં આવે અને તેની જમીન પણ હડપ કરવામાં આવે.
જંગલ પેદાશો કે બળતણ માટે જંગલમાં ફરતા વનવાસીઓને ફૉરેસ્ટવાળા ધાકધમકી કરે. માઇલોના માઇલો ચાલ્યાં બાદ રેશનની દુકાન આવે જે બંધ હોય,તેમાં કામ ન થાય, છેતરપિંડી થાય.
* * * * *
આનંદીના સ્થાપનાદિનની ઉજવણીનો બીજો હિસ્સો સરૂપબહેનનાં અભિવાદનનો હતો.સંસ્થાએ આ પ્રતિબદ્ધ જનવાદી કર્મશીલ કવયિત્રી, નાટ્યલેખક અને ઇતિહાસલેખકને જન્મદિવસની ભેટ તરીકે એક પુસ્તક આપ્યું.તેમાં સરૂપબહેન વિશે કર્મશીલ સાથીઓ-ચાહકોએ તેમના વિશે લખ્યું છે.
હાથબનાવટના કાગળ પર તૈયાર કરવામાં આવેલાં સર્જકની ચૂટેલી છબિઓ સાથેના મોટા કદનું આકર્ષક પુસ્તક બનાવીને ભેટ તરીકે આપવાનો ઉપક્રમ અપનાવવા જેવો છે.
પુસ્તકના લેખકોમાં રોહિત પ્રજાપતિ, સાહિલ પરમાર,નેહા શાહ, દિનાઝ કલવચવાલા,નેહા શાહ, હિરેન ગાંધી અને મનીષી જાનીનો સમાવેશ થાય છે.
સરૂપબહેને સ્ત્રી-સંવેદના અને આંદોલનનાં તેમણે લખેલાં ગીતો ‘આનંદી’ના કાર્યકરો ગાતાં આવ્યાં છે.કાર્યક્રમ દરમિયાન પણ સરૂપબહેનની ‘રોજની રામાયણ’ રચના સંસ્થાની બહેનોએ ઉમંગથી ગાઈ.
તેમાં સ્ત્રીની રોજબરોજની આખીય જિંદગીની તકલીફોને ‘રામાયણ’ તરીકે વણી લેવામાં આવી છે. આ ગીત સરૂપબહેને આનંદીના કાર્યકરો સાથેની નાટ્યશિબિર દરમિયાન રચ્યું હતું.
સરૂપબહેને તેમના વિચારપ્રેરક વ્યાખ્યાનમાં નારીવાદી ચળવળના ઇતિહાસ અને વર્તમાન અંગે વાત કરી.તદુપરાંત તેમણે અત્યારના કપરા સંજોગોમાં સંઘર્ષમાં આગળ વધવા માટે નવાં માધ્યમોના ઉપયોગ તેમ જ સ્ટડી સર્કલ અને ફિલ્મ સ્ક્રીનિન્ગ જેવા ઉપક્રમો થકી વૈચારિક સજ્જતા કેળવવાનું સૂચન ભારપૂર્વક કર્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તેમ જ ફેસબુક લાઇવ જોનારા સંસ્થાના સહુ કાર્યકરો માટે સરૂપબહેનનું વ્યાખ્યાન ખૂબ મહત્વનું લાગ્યુ.
કાર્યક્રમને અંતે લોકનાદના ચારુલ-વિનયે ‘વી ધ પીપલ’ ગીત સહુને ગવડાવ્યું.
નારીવાદની આપણા સમયની બે અભિવ્યક્તિ સમાં ‘આનંદી’ અને સરૂપબહેનને મુબારક !
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.