- ગૌરાંગ જાની*
આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.
આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.
શાળાઓમાં સર્વધર્મ પ્રાર્થના ભુલાતી જાય છે. સ્વતંત્રતા આંદોલનની એક સદી તરફ આપણે પ્રયાણ પ્રારંભ્યું છે ત્યારે સ્વતંત્રતા આંદોલન દરમ્યાન નાત જાત ધર્મના ભેદભાવો મિટાવવા ઈશ્વર એક જ છે એ વિચાર અને આચાર ગાંધીજીએ દેશભરમાં પ્રચલિત કર્યા. આ દિશાનું એક અવિસ્મરણીય સંભારણું એટલે 'આશ્રમભજનાવલી'.
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે આશ્રમજીવનનો અનુભવ સાથે લઈ આવ્યા અને અમદાવાદમાં પ્રથમ કોચરબ અને પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો ત્યારે સવારની અને સાંજની સર્વધર્મ પ્રાર્થના આશ્રમવાસીઓની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો હતી. પ્રાર્થના માત્ર એક ઔપચારિક્તા ન હતી પણ માનવતાની દિશા કંડારવાનું આધ્યાત્મિક સાધન હતું.આ કારણે ગાંધીજીએ પ્રાર્થના અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલ ભારતીય સંગીતને આશ્રમના રોજિંદા જીવનમાં મહત્વનું બક્ષ્યું હતું. આજે એક સદી ઉપરાંતથી આપણે જે 'આશ્રમ ભજનાવલી'થી પરિચિત છીએ તે ગાંધીજીની ભેટ છે પણ તેનું સંપાદન પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ કર્યું હતું. તેમનો જન્મ વર્ષ ૧૮૮૯ માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસગાંવમાં થયો હતો.વર્ષ ૧૯૦૭ માં કિશોર નારાયણનો ભેટો સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી સાથે થયો. શાસ્ત્રીજીએ મેટ્રિકમાં ભણતા નારાયણ ખરેમાં સંગીત સાધનાના અંકુર ફૂટતાં જોયા અને નારાયણને સંગીતનો વધુ અભ્યાસ કરવાનું સૂચન કર્યું. પણ આવો ગહન અભ્યાસ કરવાનો ખર્ચ કયાંથી લાવવો? મીરજના મહારાજાએ સાત વર્ષના અભ્યાસ માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો.નારાયણ ખરેની સંગીત સાધના ખરેખર રંગ લાવી અને પંડિત વિષ્ણુ દિગંબરે તેમને ગાંધર્વ મહાવિદ્યાલયના અધ્યાપક તરીકે અપનાવ્યા અને વર્ષ ૧૯૧૨ માં તેઓને વાઇસ પ્રિન્સિપાલ બનાવ્યા.
મહાત્મા ગાંધીને માત્ર રાષ્ટ્રપિતા તરીકે ઓળખતા લોકોને કદાચ એ ખ્યાલ નહિ હોય કે તેઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં જીવંત રસ લીધો હતો અને તેમાંનું એક સંગીત પણ હતું. આપણે આઝાદ થયાં પછીના થોડા મહિના બાદ ગાયિકા એમ એસ સુભુલક્ષ્મીને સંદેશ મળ્યો કે ગાંધીજીની ઈચ્છા છે કે તેઓ 'હરી તુમ હરો...' ભજન ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેકોર્ડ કરે.તેમના પતિએ સંદેશ મોકલ્યો કે હિન્દી ભાષા પર પૂરતી પક્કડ ન હોવાને કારણે સુભલક્ષ્મી ભજન ગાઈ નહિ શકે. પરંતુ ગાંધીજીના આગ્રહને કારણે એ ભજન સુભલક્ષ્મી એ જ રેકોર્ડ કર્યું. બન્યું એવું કે ગાંધીજીની હત્યા બાદ એ દિવસે રેડિયો પર આ ભજન જ્યારે સૂભલક્ષ્મીએ સાંભળ્યું ત્યારે તેમની આંખો ભીંજાઈ. આ તો ગાંધીના અંતિમ દિવસોની વાત થઈ પણ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના વેળાએ ગાંધીજીને સંગીતની અનિવાર્યતા લાગી. ગાંધીજીનું માનવું હતું કે બંગાળ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સંગીતનું વાતાવરણ નથી. તેઓએ કહ્યું, "જેમ આપણા ભજન કીર્તનોમાં બેતાલાપણું છે તેમ આપણા જીવન પણ અવ્યવસ્થિત અને બેતાલ બન્યા છે. જીવન વ્યવસ્થિત કરવાં હોય તો સંગીત જોઈશે".
આશ્રમમાં ભક્તિસંગીતની તાલીમ અર્થે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબર. પલુસ્કરને વિનંતી કરી કે તેઓ એમના કોઈ ઉત્તમ.શિષ્યને મોકલે.બન્યું એવું કે મગનલાલ ગાંધી પંડિતજી પાસે જઈ આવ્યા અને એક ભાઈની પસંદગી થઈ પણ વાસ્તવમાં પંડિતજીએ એ ભાઈના સ્થાને નારાયણ ખરેને મોકલ્યા અને ગુજરાતનું એ સદભાગ્ય કે નારાયણ મોરેશ્વર ખરેની ભેટ મળી. આશ્રમમાં સવારના પાંચ વાગ્યાથી સંગીતના વર્ગો શરૂ થતાં. દિવસ દરમ્યાન તેઓ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરતા. તેમનું મોટું પ્રદાન એટલે 'આશ્રમભજનાવલી"નું સંપાદન. આશરે ૨૦૦ ભજનો તેમાં સંગ્રહિત થયા છે જેમાં હિન્દુસ્તાની ભજન, ગુજરાતી ભજન, મરાઠી ભજન, બંગાળી ભજન, અંગ્રજી ભજનનો સમાવેશ કર્યો હતો. આ ભજનોને શાસ્ત્રીય રાગોમાં સ્વરબદ્ધ પણ કર્યા. આ ભજનો પસંદ કરવામાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને વિનોબાજીએ મદદ કરી હતી.સંવત ૧૯૮૨ માં અર્થાત્ એકસો વર્ષ પૂર્વે પાંચમી આવૃતિની દસ હજાર નકલ છપાઈ હતી અને ત્યાં સુધી કુલ ૨૧,૦૦૦ નકલો છપાઈ ચૂકી હતી.
સ્વતંત્રતા આંદોલનના દરમ્યાન 'રઘુપતિ રાઘવ રાજારામ'ની ધુન ગાજતી થઈ એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમમાં પંડિતજીના સ્વરોથી પ્રેરિત થઈ. નરસિંહ મહેતાનું 'વૈષ્ણવ જન ...' ભજન તો પાંચ સદીઓથી જાણીતું હતું પણ પંડિત ખરેએ રાગ 'ખમાજ' દ્વારા તેનું નવસંસ્કરણ કરી ગુજરાતીઓને અને વિશ્વને ભેટ ધર્યું. વર્ષ ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ.તેમાં સંગીત વિષયની પરીક્ષાઓનું કરી પંડિત ખરેને સોંપાયું હતું.વર્ષ ૧૯૨૨ માં અમદાવાદમાં સંગીતના પ્રચાર અર્થે તેમણે 'સંગીત મંડળ' ની સ્થાપના કરી. 'સંગીત બાલવિનોદ' અને 'સંગીત રાગદર્શન' ત્રણ ભાગ પ્રકાશિત કર્યા. વર્ષ ૧૯૩૫માં અમદાવાદમાં ' ગાંધર્વ મહાવિદ્યાલયનું ઉદઘાટન પંડિતજીના હાથે થયું.
નારાયણ ખરે એક ઉમદા વ્યક્તિ હતા. આશ્રમમાં જોડાયા ત્યારે તેમનો પહેરવેશ આશ્રમવાસીઓથી બિલકુલ ભિન્ન હતો પણ તેમણે આશ્રમની સાદગી અપનાવી લીધી.વર્ષ ૧૯૩૦ માં આશ્રમમાં શીતળાનો રોગ આવ્યો અને ત્રણ બાળકોના મૃત્યુ થયા.પંડિતજીના બાળકને પણ રોગ લાગુ પડ્યો પણ સાંજની પ્રાર્થનામાં પુત્રને માતા પાસે છોડી ગયા.પ્રાર્થના બાદ ખબર પડી કે પુત્રનું અવસાન થયું છે. પુત્રના મૃત્યુ બાદ ત્રીજા જ દિવસે મગનલાલ ગાંધીની પુત્રી રુકમણીના લગ્ન હતા. નારાયણ ખરેએ લગ્નમાં પુરોહિતની ભૂમિકા પણ પુત્રશોક સાથે કરી. ત્યારબાદ દાંડીયાત્રા શરૂ થવાની હતી ગાંધીજીએ પુત્રશોકમાં ડૂબેલો ખરે પરિવારને જોઈ દાંડીકૂચમાં પંડિતજી ન જોડાય એવું સૂચન કર્યું પણ પત્ની લક્ષ્મીએ જવાબ આપ્યો, "ના, હું પંડિતજીને લડતમાંથી નહિ રોકું. એ ભલે જાય. મારું દુઃખ હું ખમી લઇશ".
દાંડીયાત્રા દરમિયાનની એક યાદગાર તસવીરમાં ગાંધીજી સાથે હાથમાં તાનપુરો લઈને 'રઘુપતિરાઘવ રાજારામ' ગાતાં અને ગવડાવતા પંડિતજીને જોઈ શકશો. દાંડીયાત્રા દરમિયાન તેમણે ગાંધીજી સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો.વર્ષ ૧૯૩૩ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પંડિતજીએ ફરીથી જેલવાસ ભોગવ્યો. બિહારના ભૂકંપ પીડિતોની સહાયતા માટે પણ તેઓએ કામ કર્યું હતું. જાણીતા ગાયિકા મધુરીબહેન તેઓના પુત્રી હતાં. વર્ષ ૧૯૩૮ માં હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓને ન્યૂમોનિયા થઈ ગયો અને એક અઠવાડિયા બાદ ૪૯ વર્ષની ઉમ્મરે તેઓનું અવસાન થયું.
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે આશ્રમજીવનનો અનુભવ સાથે લઈ આવ્યા અને અમદાવાદમાં પ્રથમ કોચરબ અને પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો ત્યારે સવારની અને સાંજની સર્વધર્મ પ્રાર્થના આશ્રમવાસીઓની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો હતી. પ્રાર્થના માત્ર એક ઔપચારિક્તા ન હતી પણ માનવતાની દિશા કંડારવાનું આધ્યાત્મિક સાધન હતું.આ કારણે ગાંધીજીએ પ્રાર્થના અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલ ભારતીય સંગીતને આશ્રમના રોજિંદા જીવનમાં મહત્વનું બક્ષ્યું હતું. આજે એક સદી ઉપરાંતથી આપણે જે 'આશ્રમ ભજનાવલી'થી પરિચિત છીએ તે ગાંધીજીની ભેટ છે પણ તેનું સંપાદન પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ કર્યું હતું. તેમનો જન્મ વર્ષ ૧૮૮૯ માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસગાંવમાં થયો હતો.વર્ષ ૧૯૦૭ માં કિશોર નારાયણનો ભેટો સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી સાથે થયો. શાસ્ત્રીજીએ મેટ્રિકમાં ભણતા નારાયણ ખરેમાં સંગીત સાધનાના અંકુર ફૂટતાં જોયા અને નારાયણને સંગીતનો વધુ અભ્યાસ કરવાનું સૂચન કર્યું. પણ આવો ગહન અભ્યાસ કરવાનો ખર્ચ કયાંથી લાવવો? મીરજના મહારાજાએ સાત વર્ષના અભ્યાસ માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો.નારાયણ ખરેની સંગીત સાધના ખરેખર રંગ લાવી અને પંડિત વિષ્ણુ દિગંબરે તેમને ગાંધર્વ મહાવિદ્યાલયના અધ્યાપક તરીકે અપનાવ્યા અને વર્ષ ૧૯૧૨ માં તેઓને વાઇસ પ્રિન્સિપાલ બનાવ્યા.
મહાત્મા ગાંધીને માત્ર રાષ્ટ્રપિતા તરીકે ઓળખતા લોકોને કદાચ એ ખ્યાલ નહિ હોય કે તેઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં જીવંત રસ લીધો હતો અને તેમાંનું એક સંગીત પણ હતું. આપણે આઝાદ થયાં પછીના થોડા મહિના બાદ ગાયિકા એમ એસ સુભુલક્ષ્મીને સંદેશ મળ્યો કે ગાંધીજીની ઈચ્છા છે કે તેઓ 'હરી તુમ હરો...' ભજન ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેકોર્ડ કરે.તેમના પતિએ સંદેશ મોકલ્યો કે હિન્દી ભાષા પર પૂરતી પક્કડ ન હોવાને કારણે સુભલક્ષ્મી ભજન ગાઈ નહિ શકે. પરંતુ ગાંધીજીના આગ્રહને કારણે એ ભજન સુભલક્ષ્મી એ જ રેકોર્ડ કર્યું. બન્યું એવું કે ગાંધીજીની હત્યા બાદ એ દિવસે રેડિયો પર આ ભજન જ્યારે સૂભલક્ષ્મીએ સાંભળ્યું ત્યારે તેમની આંખો ભીંજાઈ. આ તો ગાંધીના અંતિમ દિવસોની વાત થઈ પણ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના વેળાએ ગાંધીજીને સંગીતની અનિવાર્યતા લાગી. ગાંધીજીનું માનવું હતું કે બંગાળ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સંગીતનું વાતાવરણ નથી. તેઓએ કહ્યું, "જેમ આપણા ભજન કીર્તનોમાં બેતાલાપણું છે તેમ આપણા જીવન પણ અવ્યવસ્થિત અને બેતાલ બન્યા છે. જીવન વ્યવસ્થિત કરવાં હોય તો સંગીત જોઈશે".
આશ્રમમાં ભક્તિસંગીતની તાલીમ અર્થે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબર. પલુસ્કરને વિનંતી કરી કે તેઓ એમના કોઈ ઉત્તમ.શિષ્યને મોકલે.બન્યું એવું કે મગનલાલ ગાંધી પંડિતજી પાસે જઈ આવ્યા અને એક ભાઈની પસંદગી થઈ પણ વાસ્તવમાં પંડિતજીએ એ ભાઈના સ્થાને નારાયણ ખરેને મોકલ્યા અને ગુજરાતનું એ સદભાગ્ય કે નારાયણ મોરેશ્વર ખરેની ભેટ મળી. આશ્રમમાં સવારના પાંચ વાગ્યાથી સંગીતના વર્ગો શરૂ થતાં. દિવસ દરમ્યાન તેઓ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરતા. તેમનું મોટું પ્રદાન એટલે 'આશ્રમભજનાવલી"નું સંપાદન. આશરે ૨૦૦ ભજનો તેમાં સંગ્રહિત થયા છે જેમાં હિન્દુસ્તાની ભજન, ગુજરાતી ભજન, મરાઠી ભજન, બંગાળી ભજન, અંગ્રજી ભજનનો સમાવેશ કર્યો હતો. આ ભજનોને શાસ્ત્રીય રાગોમાં સ્વરબદ્ધ પણ કર્યા. આ ભજનો પસંદ કરવામાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને વિનોબાજીએ મદદ કરી હતી.સંવત ૧૯૮૨ માં અર્થાત્ એકસો વર્ષ પૂર્વે પાંચમી આવૃતિની દસ હજાર નકલ છપાઈ હતી અને ત્યાં સુધી કુલ ૨૧,૦૦૦ નકલો છપાઈ ચૂકી હતી.
સ્વતંત્રતા આંદોલનના દરમ્યાન 'રઘુપતિ રાઘવ રાજારામ'ની ધુન ગાજતી થઈ એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમમાં પંડિતજીના સ્વરોથી પ્રેરિત થઈ. નરસિંહ મહેતાનું 'વૈષ્ણવ જન ...' ભજન તો પાંચ સદીઓથી જાણીતું હતું પણ પંડિત ખરેએ રાગ 'ખમાજ' દ્વારા તેનું નવસંસ્કરણ કરી ગુજરાતીઓને અને વિશ્વને ભેટ ધર્યું. વર્ષ ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ.તેમાં સંગીત વિષયની પરીક્ષાઓનું કરી પંડિત ખરેને સોંપાયું હતું.વર્ષ ૧૯૨૨ માં અમદાવાદમાં સંગીતના પ્રચાર અર્થે તેમણે 'સંગીત મંડળ' ની સ્થાપના કરી. 'સંગીત બાલવિનોદ' અને 'સંગીત રાગદર્શન' ત્રણ ભાગ પ્રકાશિત કર્યા. વર્ષ ૧૯૩૫માં અમદાવાદમાં ' ગાંધર્વ મહાવિદ્યાલયનું ઉદઘાટન પંડિતજીના હાથે થયું.
નારાયણ ખરે એક ઉમદા વ્યક્તિ હતા. આશ્રમમાં જોડાયા ત્યારે તેમનો પહેરવેશ આશ્રમવાસીઓથી બિલકુલ ભિન્ન હતો પણ તેમણે આશ્રમની સાદગી અપનાવી લીધી.વર્ષ ૧૯૩૦ માં આશ્રમમાં શીતળાનો રોગ આવ્યો અને ત્રણ બાળકોના મૃત્યુ થયા.પંડિતજીના બાળકને પણ રોગ લાગુ પડ્યો પણ સાંજની પ્રાર્થનામાં પુત્રને માતા પાસે છોડી ગયા.પ્રાર્થના બાદ ખબર પડી કે પુત્રનું અવસાન થયું છે. પુત્રના મૃત્યુ બાદ ત્રીજા જ દિવસે મગનલાલ ગાંધીની પુત્રી રુકમણીના લગ્ન હતા. નારાયણ ખરેએ લગ્નમાં પુરોહિતની ભૂમિકા પણ પુત્રશોક સાથે કરી. ત્યારબાદ દાંડીયાત્રા શરૂ થવાની હતી ગાંધીજીએ પુત્રશોકમાં ડૂબેલો ખરે પરિવારને જોઈ દાંડીકૂચમાં પંડિતજી ન જોડાય એવું સૂચન કર્યું પણ પત્ની લક્ષ્મીએ જવાબ આપ્યો, "ના, હું પંડિતજીને લડતમાંથી નહિ રોકું. એ ભલે જાય. મારું દુઃખ હું ખમી લઇશ".
દાંડીયાત્રા દરમિયાનની એક યાદગાર તસવીરમાં ગાંધીજી સાથે હાથમાં તાનપુરો લઈને 'રઘુપતિરાઘવ રાજારામ' ગાતાં અને ગવડાવતા પંડિતજીને જોઈ શકશો. દાંડીયાત્રા દરમિયાન તેમણે ગાંધીજી સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો.વર્ષ ૧૯૩૩ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પંડિતજીએ ફરીથી જેલવાસ ભોગવ્યો. બિહારના ભૂકંપ પીડિતોની સહાયતા માટે પણ તેઓએ કામ કર્યું હતું. જાણીતા ગાયિકા મધુરીબહેન તેઓના પુત્રી હતાં. વર્ષ ૧૯૩૮ માં હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓને ન્યૂમોનિયા થઈ ગયો અને એક અઠવાડિયા બાદ ૪૯ વર્ષની ઉમ્મરે તેઓનું અવસાન થયું.
---
*સમાજશાસ્ત્રી
Comments