सीधे मुख्य सामग्री पर जाएं

પંડિત નારાયણ ખરે: ગુજરાતીઓને સંગીતના રંગે રંગનાર ગાંધીવાદી સંગીતકાર

- ગૌરાંગ જાની* 

આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.
શાળાઓમાં સર્વધર્મ પ્રાર્થના ભુલાતી જાય છે. સ્વતંત્રતા આંદોલનની એક સદી તરફ આપણે પ્રયાણ પ્રારંભ્યું છે ત્યારે સ્વતંત્રતા આંદોલન દરમ્યાન નાત જાત ધર્મના ભેદભાવો મિટાવવા ઈશ્વર એક જ છે એ વિચાર અને આચાર ગાંધીજીએ દેશભરમાં પ્રચલિત કર્યા. આ દિશાનું એક અવિસ્મરણીય સંભારણું એટલે 'આશ્રમભજનાવલી'.
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે આશ્રમજીવનનો અનુભવ સાથે લઈ આવ્યા અને અમદાવાદમાં પ્રથમ કોચરબ અને પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો ત્યારે સવારની અને સાંજની સર્વધર્મ પ્રાર્થના આશ્રમવાસીઓની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો હતી. પ્રાર્થના માત્ર એક ઔપચારિક્તા ન હતી પણ માનવતાની દિશા કંડારવાનું આધ્યાત્મિક સાધન હતું.આ કારણે ગાંધીજીએ પ્રાર્થના અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલ ભારતીય સંગીતને આશ્રમના રોજિંદા જીવનમાં મહત્વનું બક્ષ્યું હતું. આજે એક સદી ઉપરાંતથી આપણે જે 'આશ્રમ ભજનાવલી'થી પરિચિત છીએ તે ગાંધીજીની ભેટ છે પણ તેનું સંપાદન પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ કર્યું હતું. તેમનો જન્મ વર્ષ ૧૮૮૯ માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસગાંવમાં થયો હતો.વર્ષ ૧૯૦૭ માં કિશોર નારાયણનો ભેટો સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી સાથે થયો. શાસ્ત્રીજીએ મેટ્રિકમાં ભણતા નારાયણ ખરેમાં સંગીત સાધનાના અંકુર ફૂટતાં જોયા અને નારાયણને સંગીતનો વધુ અભ્યાસ કરવાનું સૂચન કર્યું. પણ આવો ગહન અભ્યાસ કરવાનો ખર્ચ કયાંથી લાવવો? મીરજના મહારાજાએ સાત વર્ષના અભ્યાસ માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો.નારાયણ ખરેની સંગીત સાધના ખરેખર રંગ લાવી અને પંડિત વિષ્ણુ દિગંબરે તેમને ગાંધર્વ મહાવિદ્યાલયના અધ્યાપક તરીકે અપનાવ્યા અને વર્ષ ૧૯૧૨ માં તેઓને વાઇસ પ્રિન્સિપાલ બનાવ્યા.
મહાત્મા ગાંધીને માત્ર રાષ્ટ્રપિતા તરીકે ઓળખતા લોકોને કદાચ એ ખ્યાલ નહિ હોય કે તેઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં જીવંત રસ લીધો હતો અને તેમાંનું એક સંગીત પણ હતું. આપણે આઝાદ થયાં પછીના થોડા મહિના બાદ ગાયિકા એમ એસ સુભુલક્ષ્મીને સંદેશ મળ્યો કે ગાંધીજીની ઈચ્છા છે કે તેઓ 'હરી તુમ હરો...' ભજન ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેકોર્ડ કરે.તેમના પતિએ સંદેશ મોકલ્યો કે હિન્દી ભાષા પર પૂરતી પક્કડ ન હોવાને કારણે સુભલક્ષ્મી ભજન ગાઈ નહિ શકે. પરંતુ ગાંધીજીના આગ્રહને કારણે એ ભજન સુભલક્ષ્મી એ જ રેકોર્ડ કર્યું. બન્યું એવું કે ગાંધીજીની હત્યા બાદ એ દિવસે રેડિયો પર આ ભજન જ્યારે સૂભલક્ષ્મીએ સાંભળ્યું ત્યારે તેમની આંખો ભીંજાઈ. આ તો ગાંધીના અંતિમ દિવસોની વાત થઈ પણ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના વેળાએ ગાંધીજીને સંગીતની અનિવાર્યતા લાગી. ગાંધીજીનું માનવું હતું કે બંગાળ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સંગીતનું વાતાવરણ નથી. તેઓએ કહ્યું, "જેમ આપણા ભજન કીર્તનોમાં બેતાલાપણું છે તેમ આપણા જીવન પણ અવ્યવસ્થિત અને બેતાલ બન્યા છે. જીવન વ્યવસ્થિત કરવાં હોય તો સંગીત જોઈશે".
આશ્રમમાં ભક્તિસંગીતની તાલીમ અર્થે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબર. પલુસ્કરને વિનંતી કરી કે તેઓ એમના કોઈ ઉત્તમ.શિષ્યને મોકલે.બન્યું એવું કે મગનલાલ ગાંધી પંડિતજી પાસે જઈ આવ્યા અને એક ભાઈની પસંદગી થઈ પણ વાસ્તવમાં પંડિતજીએ એ ભાઈના સ્થાને નારાયણ ખરેને મોકલ્યા અને ગુજરાતનું એ સદભાગ્ય કે નારાયણ મોરેશ્વર ખરેની ભેટ મળી. આશ્રમમાં સવારના પાંચ વાગ્યાથી સંગીતના વર્ગો શરૂ થતાં. દિવસ દરમ્યાન તેઓ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરતા. તેમનું મોટું પ્રદાન એટલે 'આશ્રમભજનાવલી"નું સંપાદન. આશરે ૨૦૦ ભજનો તેમાં સંગ્રહિત થયા છે જેમાં હિન્દુસ્તાની ભજન, ગુજરાતી ભજન, મરાઠી ભજન, બંગાળી ભજન, અંગ્રજી ભજનનો સમાવેશ કર્યો હતો. આ ભજનોને શાસ્ત્રીય રાગોમાં સ્વરબદ્ધ પણ કર્યા. આ ભજનો પસંદ કરવામાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને વિનોબાજીએ મદદ કરી હતી.સંવત ૧૯૮૨ માં અર્થાત્ એકસો વર્ષ પૂર્વે પાંચમી આવૃતિની દસ હજાર નકલ છપાઈ હતી અને ત્યાં સુધી કુલ ૨૧,૦૦૦ નકલો છપાઈ ચૂકી હતી.
સ્વતંત્રતા આંદોલનના દરમ્યાન 'રઘુપતિ રાઘવ રાજારામ'ની ધુન ગાજતી થઈ એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમમાં પંડિતજીના સ્વરોથી પ્રેરિત થઈ. નરસિંહ મહેતાનું 'વૈષ્ણવ જન ...' ભજન તો પાંચ સદીઓથી જાણીતું હતું પણ પંડિત ખરેએ રાગ 'ખમાજ' દ્વારા તેનું નવસંસ્કરણ કરી ગુજરાતીઓને અને વિશ્વને ભેટ ધર્યું. વર્ષ ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ.તેમાં સંગીત વિષયની પરીક્ષાઓનું કરી પંડિત ખરેને સોંપાયું હતું.વર્ષ ૧૯૨૨ માં અમદાવાદમાં સંગીતના પ્રચાર અર્થે તેમણે 'સંગીત મંડળ' ની સ્થાપના કરી. 'સંગીત બાલવિનોદ' અને 'સંગીત રાગદર્શન' ત્રણ ભાગ પ્રકાશિત કર્યા. વર્ષ ૧૯૩૫માં અમદાવાદમાં ' ગાંધર્વ મહાવિદ્યાલયનું ઉદઘાટન પંડિતજીના હાથે થયું.
નારાયણ ખરે એક ઉમદા વ્યક્તિ હતા. આશ્રમમાં જોડાયા ત્યારે તેમનો પહેરવેશ આશ્રમવાસીઓથી બિલકુલ ભિન્ન હતો પણ તેમણે આશ્રમની સાદગી અપનાવી લીધી.વર્ષ ૧૯૩૦ માં આશ્રમમાં શીતળાનો રોગ આવ્યો અને ત્રણ બાળકોના મૃત્યુ થયા.પંડિતજીના બાળકને પણ રોગ લાગુ પડ્યો પણ સાંજની પ્રાર્થનામાં પુત્રને માતા પાસે છોડી ગયા.પ્રાર્થના બાદ ખબર પડી કે પુત્રનું અવસાન થયું છે. પુત્રના મૃત્યુ બાદ ત્રીજા જ દિવસે મગનલાલ ગાંધીની પુત્રી રુકમણીના લગ્ન હતા. નારાયણ ખરેએ લગ્નમાં પુરોહિતની ભૂમિકા પણ પુત્રશોક સાથે કરી. ત્યારબાદ દાંડીયાત્રા શરૂ થવાની હતી ગાંધીજીએ પુત્રશોકમાં ડૂબેલો ખરે પરિવારને જોઈ દાંડીકૂચમાં પંડિતજી ન જોડાય એવું સૂચન કર્યું પણ પત્ની લક્ષ્મીએ જવાબ આપ્યો, "ના, હું પંડિતજીને લડતમાંથી નહિ રોકું. એ ભલે જાય. મારું દુઃખ હું ખમી લઇશ". 
દાંડીયાત્રા દરમિયાનની એક યાદગાર તસવીરમાં ગાંધીજી સાથે હાથમાં તાનપુરો લઈને 'રઘુપતિરાઘવ રાજારામ' ગાતાં અને ગવડાવતા પંડિતજીને જોઈ શકશો. દાંડીયાત્રા દરમિયાન તેમણે ગાંધીજી સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો.વર્ષ ૧૯૩૩ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પંડિતજીએ ફરીથી જેલવાસ ભોગવ્યો. બિહારના ભૂકંપ પીડિતોની સહાયતા માટે પણ તેઓએ કામ કર્યું હતું. જાણીતા ગાયિકા મધુરીબહેન તેઓના પુત્રી હતાં. વર્ષ ૧૯૩૮ માં હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓને ન્યૂમોનિયા થઈ ગયો અને એક અઠવાડિયા બાદ ૪૯ વર્ષની ઉમ્મરે તેઓનું અવસાન થયું.
---
*સમાજશાસ્ત્રી

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.