सीधे मुख्य सामग्री पर जाएं

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી* 
ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ... 
***
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ આપને હાર્દિક અભિનંદન.
અમે, નીચે હસ્તાક્ષર કરનારા, આનંદ અનુભવીએ છીએ કે TDP-તેલુગુ દેશમ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું નક્કી કરેલ છે.
અમે આશા રાખીએ છીએ કે TDP ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતોને નિશ્ચિતપણે જાળવી રાખવા માટે તકનો ઉપયોગ કરશે અને બંધારણમાં બાંયધરી આપવામાં આવેલા લોકતાંત્રિક અધિકારોના રક્ષણ માટે તેની શક્તિ મુજબ બધું જ કરશે.
અફસોસની વાત એ છે કે અત્યારે 'Bharatiya Nagarik Suraksha Sanhita, 2023', 'Bharatiya Nyaya Sanhita, 2023', and 'Bharatiya Sakshya Adhiniyam, 2023', નામના ત્રણ નવા ફોજદારી કાયદાના રૂપમાં દેશ પર એક ગંભીર ખતરો ઊભો થયો છે. 20 ડીસેમ્બર 2023ના રોજ સંસદમાં ચર્ચા કર્યા વિના ઉતાવળમાં આ કાયદાઓ બન્યા છે.
આ કાયદાઓ 1 જુલાઈ 2024 થી અમલમાં આવવાના છે અને સર તમારે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.
અમારી મુખ્ય ચિંતા એ છે કે તત્કાલીન વર્તમાન કાયદાઓમાં કરાયેલા સુધારા એવા છે કે તે મોટાભાગે draconian-કઠોર સ્વભાવના છે. તેઓ ફક્ત જીવન અને સ્વતંત્રતા અને ગુનાહિત નુકસાનની બાબતો સાથે વ્યવહાર કરે છે જે વ્યક્તિને અન્ય બહુવિધ અને વિવિધ રીતે થઈ શકે છે. તેઓ નાગરિકોની નાગરિક સ્વતંત્રતાઓ સાથે પણ પ્રતિકૂળ અસર કરે છે, ખાસ કરીને વાણી સ્વાતંત્ર્ય, સભાનો અધિકાર, સહયોગ કરવાનો અધિકાર, પ્રદર્શન કરવાનો અધિકાર અને તેમના અન્ય નાગરિક અધિકારો કે જેને કાયદાથી ગુનો ઠરાવેલ છે.
અનિવાર્યપણે, આ નવા ફોજદારી કાયદાઓ સરકારને આપણી લોકશાહીને પોકળ બનાવવા અને ભારતને ફાસીવાદી રાજ્યમાં પરિવર્તિત કરવા માટે પૂરતી શક્તિથી સજ્જ કરે છે !
સૂચિત નવા કાયદાઓ સરકારને નાટકીય રીતે લોકશાહી વિરોધીઓ, અસંતુષ્ટો અને કાર્યકરોની ધરપકડ, અટકાયત માટે સક્ષમ બનાવશે.
નવા ફોજદારી સંહિતાના કેટલાક chilling features-ચિલિંગ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે : [1] શાંતિપૂર્વક/ અહિંસક લોકશાહી આંદોલન/ કાર્યક્રમો/ ભાષણ હવે terrorism ગણાશે; [2]) હવે રાજદ્રોહની વ્યાખ્યા વિસ્તૃત બનશે. રાજદ્રોહનો નવો અવતાર કહી શકાય; [3] Selective prosecution-પસંદગીયુક્ત કાર્યવાહી થશે. વૈચારિક અને રાજકીય વિરોધીઓ પર રાજકીય રીતે પક્ષપાતી કાર્યવાહી થશે; [4] સરકારની નીતિઓનો વિરોધ કરવા ઉપવાસ કરો તો ગુનો બનશે; [5] કોઈપણ વ્યક્તિઓ એકત્ર થાય તો બળના ઉપયોગ થશે; [6] ‘પોલીસ રાજ’ને બળ મળશે. પોલીસના હુકમોનો પ્રતિકાર થઈ શકશે નહીં. પોલીસની સૂચના મુજબ બધું થશે; [7] હાથકડીનો ઉપયોગ વધારવો; [8] investigation દરમિયાન મહત્તમ પોલીસ કસ્ટડી; [9] FIRની નોંધણી પોલીસની મુનસફી પર-વિવેક પર છોડવું; [10] કેદની પીડાને વધારવી; [11] ગુનો કર્યો હોય કે ન કર્યો હોય, સરકારને તેમના બાયોમેટ્રિક્સ આપવા સરકાર ફરજ પાડશે; [12] સંઘ પરિવારની કેટલીક પ્રવૃત્તિઓને રક્ષણ મળશે.
રાષ્ટ્રના લોકતાંત્રિક માળખા માટે આ તોળાઈ રહેલ ખતરો છે; જેથી આ શંકાસ્પદ કાયદાઓના અમલીકરણને રોકવા માટે આપના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવાની અમને ફરજ પડી છે. કાનૂની નિષ્ણાતોની ટીમ દ્વારા તેની અસરોની પુનઃસમીક્ષા કરવી જોઈએ અને ભારતીય સંસદના ફ્લોર પર ચર્ચા કરવી જોઈએ.
ઉપરોક્ત ફોજદારી કાયદાઓ અમલમાં આવવામાં હજુ સત્તર દિવસ બાકી હોવાથી, અમે આપને અમારી કાયદાકીય ટીમને મળવાની આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ, જે આપને નવા ફોજદારી કાયદાઓની અસરો વિશે, નાગરિક સ્વાતંત્ર્ય પર તોળાઈ રહેલા જોખમને રોકવા માટે માહિતગાર કરી શકે.
અમે આશા રાખીએ છીએ કે આપ આ અપીલનો સકારાત્મક પ્રતિસાદ આપશો અને ઉપરોક્ત ફોજદારી કાયદાઓના અમલીકરણને રોકવા માટે જરૂરી પગલાં ભરશો.
આપ પણ આ પત્રને સમર્થન કરી શકો છો. આ છે લિન્ક 

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.