सीधे मुख्य सामग्री पर जाएं

મુસ્લિમો ઔરંગઝેબની સાથે આવેલા લોકો નથી, ભારતનાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે

- વાલજીભાઈ પટેલ* 

આ હિંદુ એટલે કોણ? માત્ર હિન્દુની ઓળખથી શું કોઈ મકાન પણ ભાડે આપે છે ખરું કે?  તરત જ જાતી પૂછવામાં આવશે. હકીકતમાં હિંદુ એટલે સવર્ણ હિંદુ અને હિંદુરાજ એટલે સવર્ણોનું રાજ. અને આવા હિંદુ રાજના નામે  મોદીની કંપની આ દેશમાં ફરીથી મનુની બ્રાહ્મણવાદી રામરાજ્યની વ્યવસ્થા સ્થાપવા માંગે છે. 
મોદી આ દેશમાં બાબાસાહેબ આંબેડકરના બંધારણથી આવેલ સમાનતાને ખત્મ કરી ગુલામીની દયા પર જીવતી સમરસતા સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદી ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત થતા જ  આંબેડકરના નામની બંધારણની ફ્રેમ જેમની તેમ સલામત રાખી માત્ર બંધારણમાં  હિંદુ રાજ્યનો ફોટો ફિટ કરવાનું અને  બંધારણનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ બદલી નાંખવાનું કારસ્તાન કરવાના છે. 
હવે  બીજો સવાલ આ દેશમાં મુસ્લિમો કોણ છે? શું તેઓ ઔરંગઝેબની સાથે આવેલા લોકો છે? ભારતમાં રહેતા મુસ્લિમો હિદુધર્મ નાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે. જેઓ આ દેશના મૂળ માલિકો છે. તેઓ તલવારના જોરે નહિ પણ   હિન્દુધર્મનાં ત્રાસથી મુસ્લિમો બન્યા છે. અને આજે પણ તેઓ હિન્દુધર્મ છોડી રહ્યા છે. 
ઇતિહાસ ગવાહ છે, દેશના બહુમતિ શૂદ્રોની પાસે સમુદ્ર મંથનની મહેનત મજુરી કરાવી પ્રાપ્ત થયેલ કીંમતી ખજાનો મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓએ પચાવી પાડેલો. અને કામ પત્યા પછી મહેનત કરનાર શૂદ્રોને તરછોડી દીધેલા. આજે એ જ દગાખોર સવર્ણ હિન્દુઓની મનુવાદી કંપની ભારતની SC/ST/OBC ની ૮૫ ટકા શુદ્ર પ્રજાને હિંદુ-મુસ્લિમનાં નામે ગેરરસ્તે દોરી રહ્યા છે. અને આ દગાખોર મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓ ચૂંટણીનું સમુદ્રમંથન કરવા SC/ST/OBC ને છેતરી રહ્યા છે. 
સમાનતા અને સરખા અધિકારો આપતા બાબા સાહેબના બંધારણનાં યુગને આ સવર્ણ હિંદુઓ કળયુગ કહે છે. અને ગોડસેવાદી સવર્ણ હિંદુઓ આ સમાનતાવાદી યુગને સમાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરવાના ગુન્હાસર શુદ્ર શંબુકનો શિરચ્છેદ કરનાર કાતિલ રામનું રામરાજ્ય સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદીએ અવતાર લીધો છે.  
મોદી કહે છે કે, હું એક અવતારી પુરુષ છું. હિન્દુધર્મ શાત્ર લખે છે કે, કળયુગમાં ઇન્દ્ર કલીરાજા સ્વરૂપે  અવતાર લેશે અને કળિયુગનો નાશ કરી દેશમાં ફરીથી સતયુગની સ્થાપના કરશે.  જે સતયુગમાં માત્ર બ્રાહ્મણ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને SC/ST/OBC શુદ્રો તો માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ની સેવા-ગુલામી કરે તેવી વર્ણવ્યવસ્થા અમલમાં લાવશે. 
આ કામ કરવા માટે જ કલીરાજા બની મોદી  આ પૃથ્વી પર અવતર્યા છે. શું આપણે સૌને  આ દેશમાં આવું હિંદુરાજ જોઈએ છે ખરું કે?  
---
*વરિષ્ઠ દલિત એક્ટીવિસ્ટ 

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.