सीधे मुख्य सामग्री पर जाएं

સરકાર લોકોને છેતરવા સંવેદના નાટક કરતી હોય તો ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી

- રમેશ સવાણી 
રાજકોટમાં નાના મવા રોડ પર ‘TRP ગેમ ઝોન’માં 25 મે 2024ના રોજ, ભીષણ આગમાં 27 લોકો ભોગ બન્યા છે. તેમાં મોટાભાગના ભૂલકાઓ છે. અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરાશે. 
TRP ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને માનવિજયસિંહ સોલંકી છે, પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજસિંહની ધરપકડ કરી છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ કરતા હતા. મેનેજર નિતિન જૈન હતો. TRP ગેમ ઝોનનો 30થી 40 લોકોનો સંપૂર્ણ સ્ટાફ ફરાર થઈ ગયો છે.
રાજ્ય સરકારે મૃતક પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના અંગે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ/ વડાપ્રધાન/ વિપક્ષના નેતાઓ/ ગુજરાતના મુખ્યમંત્રીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે. સત્તાપક્ષે કહ્યું છે કે આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે !
થોડાં મુદ્દાઓ : 
[1] ગમે તેટલાં લોકો મરે પણ સરકારને/ તંત્રને ફરક પડે છે ખરો? સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં મોત- 22/ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોત-135/ વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં મોત-22/ અમદાવાદ કાંકરિયા રાઈડ દુર્ઘટના મોત-2/ ભરુચ સિવિલ અગ્નિકાંડમાં મોત -18/ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ અગ્નિકાંડમાં મોક- 8/ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોત-6 ભાવનગર રંઘોળા દુર્ઘટનામાં મોત-36; છતાં તંત્ર જાગ્યું? તંત્રનો વાંક હતો; છતાં તંત્રને છાવરનાર સરકાર હતીને? તંત્રએ જવાબદારી શામાટે ખંખેરી નાંખી? દરેક વખતે ‘જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે’ના હાંકોટા પાડવામાં આવે છે. તપાસના કડક આદેશ અપાય છે, પણ પરિણામ સાવ ઢીલુંઢફ ! 
[2] દર વખતે સરકાર મૃતક પરિવારોને 4 લાખની સહાય તરત જ જાહેર કરે છે; તે સંવેદના માટે નહીં, પરંતુ પોતાની જવાબદારી ખંખેરી નાખવા ! ‘સરકાર સંવેદનશીલ છે’ તેવું  કહેનાર મુખ્યમંત્રી લોકોને મૂરખ બનાવે છે ! 
[3] આ દરેક દુર્ઘટનામાં એક કોમન બાબત શું છે? તંત્રનો ભ્રષ્ટાચાર ! લાખો રુપિયાની લાંચ લઈને તંત્ર આંખ આડા કાન કરે છે ! નિયમોનું પાલન નહીં. લોકોનાં જીવને જોખમમાં મૂકે તેવી આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવાનું લાયસન્સ શામાટે અપાય છે? જ્યાં સુધી તંત્રનો ભ્રષ્ટાચાર શરુ રહેશે ત્યાં સુધી અગ્નિમાં લોકો હોમાતા રહેશે ! 
[4] સરકાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરે છે પણ તેના અહેવાલનો અમલ કરતી નથી કે અહેવાલ લોકોના વિમર્શ માટે પ્રસિદ્ધ કરાતો નથી. આવી SITની રચના તો લોકોનો ભભૂકી રહેલા રોષને શાંત પાડવાનું એક હથિયાર/ સાધન માત્ર છે ! 
[5] સરકાર હવે તપાસ કરવા માંગે છે કે ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ કે કેમ? ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વેળાએ કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનના બાંધકામ અંગે સ્થાનિક તંત્રની મંજૂરી લીધેલ કે કેમ? બાંધકામ નિયમોનુસાર કરેલ કે કેમ? ફાયર ખાતાની NOC મેળવવામાં આવેલ કે કેમ?  ગેમિંગ ઝોનમાં ઈમરજન્સીમાં રાહત અને બચાવની શું વ્યવસ્થા કરવામાં આવેલ હતી? ગેમિંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી? આ દુર્ઘટનામાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ અન્ય કોઈ ઈજારદારની નિષ્કાળજી/બેદરકારી હતી કે કેમ? ગેમિંગ ઝોનમાં પેટ્રોલ-ડીઝલનો અમર્યાદિત જથ્થો હતો કે કેમ? ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકે તે માટેના નિવારક પગલાં શું લેવા જોઈએ? આ બધી તપાસ માટે SITની રચના કરી છે ! શું સરકારને એ જ્ઞાન નહીં હોય કે આવી દુર્ઘટનાઓ નિયમોના ઊળાળિયો કરવાથી/ ભ્રષ્ટાચારના કારણે બને છે? જો સરકાર વાસ્તવમાં સંવેદનશીલ હોય/ ભ્રષ્ટાચાર બાબતે zero-tolerance નીતિ હોય/ શુભ અને સાચા ઈરાદાઓ હોય તો આવી દુર્ઘટનાઓ જરુર ટાળી શકાય ! સરકાર લોકોને છેતરવા માટે સંવેદના પ્રગટ કરવાના નાટક કરતી હોય તો ગમે તેટલા મોત થાય તંત્રને કંઈ ફરક પડતો નથી ! ભલે તંત્રને કોઈ ફરક ન પડે, પણ ગમે તેટલા લોકો મરે એની નાગરિકોને કંઈ પડી છે ખરી? મોતના આંકડા જોઈ કોઈનું રુવાડું પણ ફરકે છે ખરું?
---
 સૌજન્ય: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,