सीधे मुख्य सामग्री पर जाएं

ક્યારેક તક્ષશીલા તો ક્યારેક શ્રેય હોસ્પિટલ, ક્યારેક મોરબી, ક્યારેક હરણી, તો ક્યારેક ગેમઝોન...

- મીનાક્ષી જોશી*  
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર: લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા અને રાજ્યમાં કાયદા વિહિનતાનું પ્રતિબિંબ...
રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાથી અમારો પક્ષ, સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) (S.U.C.I.(C)) અત્યંત દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તમામ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તથા આ દુર્ઘટના માટે જવાબદારોને દાખલારૂપ સજા કરવાની માંગણી કરીએ છીએ.
રાજકોટમાં બનેલી આ દુર્ઘટના માટે જે બેદરકારીઓ બહાર આવી છે તે જોતા લાગે છે કે આ એક આકસ્મિક દુર્ઘટના નહીં પરંતુ રીતસરનો હત્યાકાંડ છે અને તે માટે સૌથી વધુ જવાબદાર સરકારી તંત્ર છે. અને સૌથી દુઃખની બાબત છે કે આટલી ભયંકર ઘટનામાં આટલાબધા નિર્દોષ લોકોના મૃત્યુ પછી આપની સરકાર દર વખતની જેમ કહે છે કે ઘટનાની તપાસ થશે અને ગુનેગારોને સજા કરવામાં આવશે. સૂરતની તક્ષશીલા, કોરોનાકાળમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, મોરબી ઝૂલતા પૂલ, વડોદરાના હરણી તળાવ, વગેરે જેવી અનેક ઘટનાઓના ગુનેગારોને હજુ સુધી કોઈ સજા થઈ નથી એટલું જ નહીં તેઓ બધા જામીન ઉપર ખુલ્લાં ફરે છે. આ સંજોગોમાં સરકારી નિવેદનો માત્ર હાસ્યાસ્પદ અને નિષ્ઠુરતાની પરાકાષ્ઠા જેવા લાગે છે. અગાઉની દુર્ઘટનામાંથી કોઈ શીખ લેવાને બદલે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે છે.
આવી દરેક ઘટનાઓ સમયે સરકાર દ્વારા એસ.આઈ.ટી.(SIT)ની રચના કરવામાં આવે છે, શરૂઆતમાં ગુનેગારો પકડમાં આવે છે અને પછી ક્લીનચીટ આપીને છોડી મૂકવામાં આવે છે. બસ, હવે બહુ થયું, SITના નામે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવામાં આવે. સલામત ગુજરાત, સલામત ગુજરાતના ઢોલનગારાં વચ્ચે સામાન્ય લોકો તંત્ર અને નફાખોર ધંધાદારીઓની મીલીભગતથી મરી રહ્યા છે ત્યારે સરકાર હવે તો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે નહીં. છેલ્લા પાંચ વર્ષમાં આ રાજકોટ જેવી આગની દુર્ઘટનાઓને કારણે ગુજરાતમાં 3176 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આવી દુર્ઘટનાઓ વારંવાર બનવાનું કારણ છે, સામાન્ય લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા, દરેક જગ્યાએ ધંધાદારી માનસિકતા અને રાજ્યમાં કાયદાવિહિનતાનું શાસન. હજુ કેટલી ઘટનાઓ અને કેટલાં લોકોના ભોગ પછી સરકાર અને તંત્રની સંવેદનશીલતા જાગશે?
જો સરકાર અને તંત્ર ખરેખર જ લોકો માટે થોડાંઘણાં પણ સંવેદનશીલ હોય તો લોકોના દુઃખ ઉપર ખાલી નિવેદનબાજી કરવાનું બંધ કરે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે.
અમે માંગણી કરીએ છીએ કે,
(1) રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાના તમામ મૃતકોને યોગ્ય આર્થિક વળતર અને ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક ધોરણે તમામ સારવાર કરવામાં આવે.
(2) આ ઘટનાના તમામ ગુનેગારોને તપાસનું નાટક કરીને છાવર્યા વગર દાખલારૂપ સજા કરવામાં આવે.
(3) અત્યારસુધી આવી જેટલી પણ ઘટનાઓ બની છે તે તમામના આરોપીઓ જે ખુલ્લા ફરી રહ્યા છે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
(4) રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તથા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ તેનું પાલન કરે છે કે નહીં તેની કડક દેખરેખ રાખવામાં આવે.
તક્ષશીલા, મોરબી ઝૂલતા પૂલ કે ગેમઝોન.... રાજ્યમાં હવે આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે સરકાર અને તંત્ર જાગે, બોધપાઠ લે અને આવી કોઈપણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાયમી વ્યવસ્થા ગોઠવવા અમે માંગણી કરીએ છીએ.
---
સેક્રેટરી, ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી, Socialist Unity Centre of India (Communist)

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.