- ઉત્તમ પરમાર
વિશ્વના મહાન તત્વચિંતક રાજનીતિજ્ઞ અને આપણા મહાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2024ની લોકસભાની ચૂંટણી સંદર્ભે જે જાહેર વ્યાખ્યાનો આપી રહ્યા છે, એ માત્ર ભારતના વડાપ્રધાનોના નહીં પરંતુ વિશ્વના વડાપ્રધાનોના પ્રવચનો પૈકી સર્વશ્રેષ્ઠ પ્રવચનો છે.
નરેન્દ્રભાઈના આ બધા જ પ્રવચનોને પ્રકાશિત કરવા જોઈએ અને તેનું દ્રશ્ય શ્રાવ્ય સંકલન પણ કરી રાખવું જોઈએ. કારણકે આવવા મહાન પ્રવચનો સદીઓ સુધી વિશ્વના બીજા કોઈ વડાપ્રધાન કરી શકવાના નથી.
નરેન્દ્રભાઈના મહાન ક્રાંતિકારી પ્રવચનો કેટલાક લોકોને સમજાતા નથી અને તેને કારણે તેઓ સમજણ વગરના નરેન્દ્રભાઈ સામે બખાળા કરે છે. પરંતુ આ બધા જ પ્રવચનો નરેન્દ્રભાઈએ તુરીયાવસ્થામાં પ્રવેશ કર્યા પછી આપેલા આધ્યાત્મિક પ્રવચન છે. જે વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને
વિશ્વના મહાન તત્વચિંતક રાજનીતિજ્ઞ અને આપણા મહાન વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2024ની લોકસભાની ચૂંટણી સંદર્ભે જે જાહેર વ્યાખ્યાનો આપી રહ્યા છે, એ માત્ર ભારતના વડાપ્રધાનોના નહીં પરંતુ વિશ્વના વડાપ્રધાનોના પ્રવચનો પૈકી સર્વશ્રેષ્ઠ પ્રવચનો છે.
નરેન્દ્રભાઈના આ બધા જ પ્રવચનોને પ્રકાશિત કરવા જોઈએ અને તેનું દ્રશ્ય શ્રાવ્ય સંકલન પણ કરી રાખવું જોઈએ. કારણકે આવવા મહાન પ્રવચનો સદીઓ સુધી વિશ્વના બીજા કોઈ વડાપ્રધાન કરી શકવાના નથી.
નરેન્દ્રભાઈના મહાન ક્રાંતિકારી પ્રવચનો કેટલાક લોકોને સમજાતા નથી અને તેને કારણે તેઓ સમજણ વગરના નરેન્દ્રભાઈ સામે બખાળા કરે છે. પરંતુ આ બધા જ પ્રવચનો નરેન્દ્રભાઈએ તુરીયાવસ્થામાં પ્રવેશ કર્યા પછી આપેલા આધ્યાત્મિક પ્રવચન છે. જે વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને
વૈશ્વિક માનવવાદી લોકોને ન સમજાય તે સ્વાભાવિક છે.
નરેન્દ્રભાઈના આ પ્રવચનો સમજવા માટે એમને સમર્પિત થઈ ચૂકેલા મધ્યમવર્ગીય માનસિકતાવાળા ગ્રેજ્યુએશન થી લઇ પીએચડી સુધીના પ્રજ્ઞાચક્ષુ શિષ્યો પાસે જશો તો તમને તેઓ નરેન્દ્રભાઈના પ્રવચનોનો સાચો અને મહાન અર્થ શું થઈ શકે તે સરળતાથી સમજાવશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોનો અર્થ સમજવા માટે બીજો વિકલ્પ પણ છે, તે એ છે કે આ પ્રવચનો સામે લોકપ્રિય સાહિત્યકાર ગુણવંત શાહ ,લોકપ્રિય કથાકાર મોરારીબાપુ અને લોકપ્રિય સન્યાસી સચ્ચિદાનંદ મૌન ધારણ કરે છે એ મૌનની ભાષા તમે સમજશો તો તમને નરેન્દ્ર ભાઈના પ્રવચનો સમજાઈ જશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ હોય છે કે એ પોતે જ પોતાના મનમાં જે સદવિચારો ધરાવે છે અને પોતે જે સદકર્મો કરતા હોય છે તેના જ હેત્વારોપણો અને આક્ષેપો પોતાના સૌથી પ્રિય દુશ્મન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધી નહેરુ પરિવાર પર કરતા હોય છે. આ લાક્ષણિકતા તમને ભારતીય સંસ્કૃતિના 5,000 વર્ષના ઇતિહાસમાં બીજા કોઈપણ મહાપુરુષમાં જોવા મળશે નહીં.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની નોંધ વિશ્વભરના લોકશાહી દેશના વર્તમાનપત્રો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોએ વ્યાપક પ્રમાણમાં નકારાત્મક રીતે લીધી છે અને આપણા મહાન વિશ્વગુરુ નરેન્દ્રભાઈની ટીકા કરી છે.
પરંતુ આવી હરકતોથી આપણે જરા પણ વિચલિત થવાની જરૂર નથી કારણ કે હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ છે, તેમણે ભારતની અને વિશ્વની પ્રજા માટે તુરીયાવસ્થામાં પ્રવેશ કરેલો છે અને તેમનું જીવન વિચાર કાર્ય અને દર્શન જ એકમાત્ર સત્ય છે. તેમને ભારતના મીડિયા જગતનું અને પ્રજ્ઞાચક્ષુ ભક્તોનું વ્યાપક સમર્થન છે એટલે નરેન્દ્રભાઈની વાણી જ એકમાત્ર સત્ય છે.
નરેન્દ્રભાઈના આ વિશ્વવિખ્યાત પ્રવચનો સામે સોક્રેટીસ, ટોલ્સટોય, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, લોહીયા, અબ્રાહમ લિંકન અને કેનેડી તથા માર્ટિન લ્યુથર કિંગના પ્રવચનો તો કચરો લાગે. આ બધા મહાપુરુષો અને તેમના શિષ્યોએ નરેન્દ્ર ભાઈ ને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, નરેન્દ્ર ભાઈના શબ્દોનું ધ્યાન કરવું જોઈએ, તો જ આપણે નરેન્દ્ર ભાઈ ને સમજી શકીશું.
આપણા મોરારીબાપુએ રામકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈ ની વાત નહીં કરવી જોઈએ પરંતુ નરેન્દ્રકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈના સમર્થનમાં રામને રજૂ કરવા જઈએ.
આપણા ગુણવંતભાઈ શાહે એમની કટાર નરેન્દ્રભાઈના પ્રવચનોના ગૂઢાર્થ સમજાવવા માટે સમર્પિત કરવી જોઈએ.
આપણા સચ્ચિદાનંદજીએ એમનું બાકીનું સન્યસ્ત જીવન નરેન્દ્રભાઈને સમર્પિત કરવું જોઈએ અને એમના માથા પરનું નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવું જોઈએ.
ખરેખર ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પેદા કરીને જે ભૂલ કરી હતી તે ભૂલને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પેદા કરીને અને ભારતને અને વિશ્વને તેની ભેટ આપીને ગુજરાતને કલંકિત થતું બચાવી લીધું છે.
ઘણા બધા નરેન્દ્રભાઈને નહીં સમજી શકતા લોકો નરેન્દ્રભાઈના પ્રવચનો સાંભળીને એમના માનસિક સ્વાસ્થયની ખોટી ચિંતા કરતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક રીતે એમણે તુરીયા અવસ્થામાં પ્રવેશ કર્યો છે તેના કારણે આવા મહાન પ્રવચનો તેઓ કરી શકે છે.
(તુરીયાવસ્થા વિશે કોઈને ન સમજણ પડતી હોય તો આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શરદ ઠાકરનો સંપર્ક કરવો, એવો પણ તુરીયાવસ્થાના સાધક છે.).
ભારતીય સંસ્કૃતિના 5000 વર્ષના દર્શન સાહિત્યમાં અંતે નરેન્દ્રભાઈના પ્રવચનો સર્વશ્રેષ્ઠ દર્શન છે એટલી સમજણ સાથે નરેન્દ્રભાઈ પ્રત્યેનો મારો અહોભાવ વ્યક્ત કરું છું.
આપ સૌ મિત્રો પણ ગીતા ,કુરાન, બાઇબલ કે રેશનલ સાહિત્ય વાંચવાનું પડતું મૂકીને નરેન્દ્રભાઈના 2024ના પ્રવચનોનો નિયમિત અભ્યાસ કરો અને સાતત્ય પૂર્વક કરતા રહો એ જ શુભેચ્છા સાથે વીરમુ છું.
નરેન્દ્રભાઈના આ પ્રવચનો સમજવા માટે એમને સમર્પિત થઈ ચૂકેલા મધ્યમવર્ગીય માનસિકતાવાળા ગ્રેજ્યુએશન થી લઇ પીએચડી સુધીના પ્રજ્ઞાચક્ષુ શિષ્યો પાસે જશો તો તમને તેઓ નરેન્દ્રભાઈના પ્રવચનોનો સાચો અને મહાન અર્થ શું થઈ શકે તે સરળતાથી સમજાવશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોનો અર્થ સમજવા માટે બીજો વિકલ્પ પણ છે, તે એ છે કે આ પ્રવચનો સામે લોકપ્રિય સાહિત્યકાર ગુણવંત શાહ ,લોકપ્રિય કથાકાર મોરારીબાપુ અને લોકપ્રિય સન્યાસી સચ્ચિદાનંદ મૌન ધારણ કરે છે એ મૌનની ભાષા તમે સમજશો તો તમને નરેન્દ્ર ભાઈના પ્રવચનો સમજાઈ જશે.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ હોય છે કે એ પોતે જ પોતાના મનમાં જે સદવિચારો ધરાવે છે અને પોતે જે સદકર્મો કરતા હોય છે તેના જ હેત્વારોપણો અને આક્ષેપો પોતાના સૌથી પ્રિય દુશ્મન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધી નહેરુ પરિવાર પર કરતા હોય છે. આ લાક્ષણિકતા તમને ભારતીય સંસ્કૃતિના 5,000 વર્ષના ઇતિહાસમાં બીજા કોઈપણ મહાપુરુષમાં જોવા મળશે નહીં.
નરેન્દ્રભાઈના આ મહાન પ્રવચનોની નોંધ વિશ્વભરના લોકશાહી દેશના વર્તમાનપત્રો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોએ વ્યાપક પ્રમાણમાં નકારાત્મક રીતે લીધી છે અને આપણા મહાન વિશ્વગુરુ નરેન્દ્રભાઈની ટીકા કરી છે.
પરંતુ આવી હરકતોથી આપણે જરા પણ વિચલિત થવાની જરૂર નથી કારણ કે હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ છે, તેમણે ભારતની અને વિશ્વની પ્રજા માટે તુરીયાવસ્થામાં પ્રવેશ કરેલો છે અને તેમનું જીવન વિચાર કાર્ય અને દર્શન જ એકમાત્ર સત્ય છે. તેમને ભારતના મીડિયા જગતનું અને પ્રજ્ઞાચક્ષુ ભક્તોનું વ્યાપક સમર્થન છે એટલે નરેન્દ્રભાઈની વાણી જ એકમાત્ર સત્ય છે.
નરેન્દ્રભાઈના આ વિશ્વવિખ્યાત પ્રવચનો સામે સોક્રેટીસ, ટોલ્સટોય, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, લોહીયા, અબ્રાહમ લિંકન અને કેનેડી તથા માર્ટિન લ્યુથર કિંગના પ્રવચનો તો કચરો લાગે. આ બધા મહાપુરુષો અને તેમના શિષ્યોએ નરેન્દ્ર ભાઈ ને સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ, નરેન્દ્ર ભાઈના શબ્દોનું ધ્યાન કરવું જોઈએ, તો જ આપણે નરેન્દ્ર ભાઈ ને સમજી શકીશું.
આપણા મોરારીબાપુએ રામકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈ ની વાત નહીં કરવી જોઈએ પરંતુ નરેન્દ્રકથા કરતા કરતા નરેન્દ્ર ભાઈના સમર્થનમાં રામને રજૂ કરવા જઈએ.
આપણા ગુણવંતભાઈ શાહે એમની કટાર નરેન્દ્રભાઈના પ્રવચનોના ગૂઢાર્થ સમજાવવા માટે સમર્પિત કરવી જોઈએ.
આપણા સચ્ચિદાનંદજીએ એમનું બાકીનું સન્યસ્ત જીવન નરેન્દ્રભાઈને સમર્પિત કરવું જોઈએ અને એમના માથા પરનું નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવું જોઈએ.
ખરેખર ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પેદા કરીને જે ભૂલ કરી હતી તે ભૂલને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પેદા કરીને અને ભારતને અને વિશ્વને તેની ભેટ આપીને ગુજરાતને કલંકિત થતું બચાવી લીધું છે.
ઘણા બધા નરેન્દ્રભાઈને નહીં સમજી શકતા લોકો નરેન્દ્રભાઈના પ્રવચનો સાંભળીને એમના માનસિક સ્વાસ્થયની ખોટી ચિંતા કરતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક રીતે એમણે તુરીયા અવસ્થામાં પ્રવેશ કર્યો છે તેના કારણે આવા મહાન પ્રવચનો તેઓ કરી શકે છે.
(તુરીયાવસ્થા વિશે કોઈને ન સમજણ પડતી હોય તો આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શરદ ઠાકરનો સંપર્ક કરવો, એવો પણ તુરીયાવસ્થાના સાધક છે.).
ભારતીય સંસ્કૃતિના 5000 વર્ષના દર્શન સાહિત્યમાં અંતે નરેન્દ્રભાઈના પ્રવચનો સર્વશ્રેષ્ઠ દર્શન છે એટલી સમજણ સાથે નરેન્દ્રભાઈ પ્રત્યેનો મારો અહોભાવ વ્યક્ત કરું છું.
આપ સૌ મિત્રો પણ ગીતા ,કુરાન, બાઇબલ કે રેશનલ સાહિત્ય વાંચવાનું પડતું મૂકીને નરેન્દ્રભાઈના 2024ના પ્રવચનોનો નિયમિત અભ્યાસ કરો અને સાતત્ય પૂર્વક કરતા રહો એ જ શુભેચ્છા સાથે વીરમુ છું.
---
*સ્રોત: ફેસબુક
Comments