सीधे मुख्य सामग्री पर जाएं

રાજસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તા ભેગી થઈ લોકોનું શોષણ કરી શકે તેનો ઇતિહાસ રચાઈ રહ્યો છે

- હેમંતકુમાર શાહ
 
લોકશાહી અને માનવ અધિકારો વિશે કશી ગતાગમ ન પડતી હોય એવા બધા ધધૂપપૂ ૧૦૦૮ આજકાલ નીકળી પડ્યા છે મોદીની અને ભાજપની ભાટાઈ કરવા. ચેતો, આ ભગવાધારીઓ તમારા પૈસે જાતજાતના મસમોટા આશ્રમોમાં તાગડધિન્ના કરે છે.
આવા શ્વેતધારી કે ભગવાધારી સાધુઓએ મોટે ભાગે રામાયણ, મહાભારત, વેદ કે ઉપનિષદો વગેરે વાંચ્યાં હોતાં જ નથી. કેટલાક એવા સાધુઓના ખાસ્સા પરિચય પછી આ લખી રહ્યો છું. ઉત્તર પ્રદેશના એક મોટા ગજાના કથાકાર સાથે લાંબી વાતચીતમાં મને ખબર પડેલી કે એમને ઉત્તર પ્રદેશમાં પંચાયત કેવી રીતે ચાલે છે એની પણ ખબર નહોતી! આવા કથાકારો પણ હજારો હશે ભારતમાં.
જો એ ધર્મગ્રંથો જ એમણે ન વાંચ્યા હોય તો ભારતનું બંધારણ તો ન જ વાંચ્યું હોય. પોતાને બધા પગે લાગે એટલે તેઓ પોતાની જાતને સર્વજ્ઞ સમજતા હોય છે. એમનામાંના મોટા ભાગનાને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી, સાર્વભૌમત્વ, પ્રજાસત્તાક, બંધુતા વગેરેનાં આધુનિક મૂલ્યો વિશે કશી જ પતીજ પડતી નથી અને પુષ્પક વિમાનમાં બેઠા બેઠા હજુ બેપાંચ હજાર વર્ષ જૂના ભૂતકાળમાં મોબાઈલ ફોન સાથે ઊડ્યા કરે છે.
જો એમને બંધારણ અને લોકશાહી વિશે કશી સમજણ ન પડતી હોય તો લોકોને આ કે તે પક્ષને કે ઉમેદવારને મત આપવાનું એમણે કહેવું ન જોઈએ અને એ રીતે તેમના દલાલ ન બનવું જોઈએ.
લોકશાહી અને માનવ અધિકારોનું હનન કેવી રીતે છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં થયું છે એની એમને કશી ચિંતા છે ખરી? કે પછી તેઓ ઇન્દિરા ગાંધીએ ૪૮ વર્ષ પહેલાં કટોકટી લાદેલી એવી સાચી; અને મહાત્મા ગાંધી એક અનૌરસ મુસ્લિમ સંતાન હતા અને જવાહરલાલ નહેરુ મુસ્લિમ વંશજ હતા એવી ફાલતુ પ્રચારની જ માહિતી છે? એમને મુંબઈમાં સોહરાબુદ્દીન હત્યા કેસ ચલાવનારા સીબીઆઇના જજ હરકિસન લોયા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા એની ખબર છે, એ યાદ છે?
ચાલો, જવા દો, હરિ હરિ ભજો અને દેશનું સત્યાનાશ થતું નજરે નિહાળો. અયોધ્યામાં રામમંદિર બંધાય અને રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય એ જેટલું જરૂરી છે; એના કરતાં બંધારણમાં લખવામાં આવેલાં મૂલ્યો અને ગાંધીવિચારની પ્રાણપ્રતિષ્ઠા થાય એ વધુ આવશ્યક છે.
આ બધા ધર્મ ધૂરંધરોને કદાચ એની ખબર હશે કે RSS પ્રેરિત હિંદુ સ્વયંસેવક સંઘ દુનિયામાં બાવન દેશોમાં કામ કરે છે, પણ મોટે ભાગે એમને એ ખબર નહિ જ હોય કે દુનિયાના ૭૦થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીનાં પૂતળાં છે. પૂછો જરા, કે કેમ છે એ પોતડીધારીનાં પૂતળાં ત્યાં? હિંમત છે?
આ જે બાબત મોટા ભાગના શ્વેતધારી કે ભગવાધારી હિંદુ ધધૂપપૂઓને લાગુ પડે છે એ મોટા ભાગના મુસ્લિમ મૌલવીઓ, પાદરીઓ અને મહારાજો વગેરે તમામ ધર્મોના ઠેકેદારોને લાગુ પડે જ છે. ને હાલી નીકળ્યા છે આને કે તેને મત આપવાની સલાહ કે આદેશ આપવા.
રાજસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તા કેવી રીતે ભેગી થઈને લોકોનું શોષણ કરી શકે તેનો ઉત્તમ ઇતિહાસ અત્યારે ભારતમાં રચાઈ રહ્યો છે, અને જે થોડીઘણી પણ લોકશાહી મજબૂત થઈ રહી હતી તેનું અવકાશ યાનની ગતિએ ધોવાણ થઈ રહ્યું છે.
(બંધારણ હિંદુ શબ્દમાં જૈન, શીખ, બૌદ્ધ ધર્મનો પણ સમાવેશ કરે છે એ યાદ રાખવું. અને અહીં હું પણ એમ જ કરું છું.)

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,