- વિપુલ પંડયા*
વિશ્વમાં ખાણ, બાંધકામ, કૃષિ, વનસંવર્ધન, માછીમારી અને ઉત્પાદન એ સૌથી જોખમી ક્ષેત્રો છે. ખાણ ઉધોગ પછી સૌથી વધુ અકસ્માતો બાંધકામ ક્ષેત્રમાં નોંધાઈ રહ્યા છે. ILO ના નવેમ્બર ૨૦૨૩ ના અહેવાલ મુજબ વિશ્વમાં બાંધકામમાં દર વર્ષે ૩૦ લાખ કામદારો મૃત્યુ પામે છે જેમાં ૨.૬ મિલિયન મૃત્યુ કામ સંબંધીત રોગો અને ૩૩૦૦૦૦ મૃત્યુ કામના સ્થળે થતા જીવલેણ અકસ્માતોને આભારી છે. જે ૨૦૧૫ ની સરખામણીમાં ૫ ટકાથી વધુનો વધારો છે એવું ILO નો અભ્યાસ દર્શાવે છે.
આપણા દેશમાં બાંધકામ ક્ષેત્રમાં થતા અકસ્માતોનો કોઈ આધારભૂત ચોક્કસ આંકડો મળતો નથી. આઈ આઈ ટી દિલ્હીના સંશોધન રીપોર્ટમાં એક અંદાજ એવો છે કે ભારતમાં દરરોજ ૩૮ કામદારો કામ દરમ્યાન અકસ્માતનો ભોગ બને છે. ગુજરાતમાં છેલ્લા ૧૬ વર્ષમાં ૧૯૭૧ કામદારો અકસ્માતોનો ભોગ બન્યા છે તેમાં ૧૫૦૬ કામદારોના મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૩ માં ૧૦૨ કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩૨ બાંધકામ શ્રમિકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ( RTI હેઠળ પોલીસ સ્ટેશન માંથી મેળવેલ માહિતી) કામદારને થતી ગંભીર ઇજામાં ખાનગી દવાખાનામાં સારવાર કરાવીને ઘટના ઉપર પડદો પાડી દેવામાં આવે છે તેથી તેની માહિતી ઉપલબ્ધ થતી નથી.
મોટાભાગના અકસ્માતો ઉપરથી નીચે પડવાથી, માટીની ભેખડ ઘસી પડવાને કારણે,, ઈલેક્ટ્રીક કરંટ લાગવાને કારણે, ભારે વજન વળી વસ્તુઓ કામદારના માથે પડવાથી અને મશીનમાં શરીરના કોઈ અંગો ફસાઈ જવાને કારણે થતા હોવાનું જાણવા મળે છે. તમામ અકસ્માતો અટકાવી શકાય તેવા છે. કામદારોની સલામતી પ્રત્યે દાખવવામાં આવતી ઘોર બેદરકારીનું પરિણામ છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ દરમ્યાન કુલ ૮૬૧ બાંધકામ કામદારો અકસ્માતે મૃત્યુ પામ્યા હતા તેમાંથી ૩૭૪ મૃત્યુ પામેલા કામદારના વારસદારને રૂપિયા 3 લાખની સહાય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તફથી મળી શકી છે એટલે કે માત્ર ૪૩ ટકા પીડિત પરિવારને જ આ સહાય મળી છે.
વિશ્વમાં ખાણ, બાંધકામ, કૃષિ, વનસંવર્ધન, માછીમારી અને ઉત્પાદન એ સૌથી જોખમી ક્ષેત્રો છે. ખાણ ઉધોગ પછી સૌથી વધુ અકસ્માતો બાંધકામ ક્ષેત્રમાં નોંધાઈ રહ્યા છે. ILO ના નવેમ્બર ૨૦૨૩ ના અહેવાલ મુજબ વિશ્વમાં બાંધકામમાં દર વર્ષે ૩૦ લાખ કામદારો મૃત્યુ પામે છે જેમાં ૨.૬ મિલિયન મૃત્યુ કામ સંબંધીત રોગો અને ૩૩૦૦૦૦ મૃત્યુ કામના સ્થળે થતા જીવલેણ અકસ્માતોને આભારી છે. જે ૨૦૧૫ ની સરખામણીમાં ૫ ટકાથી વધુનો વધારો છે એવું ILO નો અભ્યાસ દર્શાવે છે.
આપણા દેશમાં બાંધકામ ક્ષેત્રમાં થતા અકસ્માતોનો કોઈ આધારભૂત ચોક્કસ આંકડો મળતો નથી. આઈ આઈ ટી દિલ્હીના સંશોધન રીપોર્ટમાં એક અંદાજ એવો છે કે ભારતમાં દરરોજ ૩૮ કામદારો કામ દરમ્યાન અકસ્માતનો ભોગ બને છે. ગુજરાતમાં છેલ્લા ૧૬ વર્ષમાં ૧૯૭૧ કામદારો અકસ્માતોનો ભોગ બન્યા છે તેમાં ૧૫૦૬ કામદારોના મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૩ માં ૧૦૨ કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩૨ બાંધકામ શ્રમિકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ( RTI હેઠળ પોલીસ સ્ટેશન માંથી મેળવેલ માહિતી) કામદારને થતી ગંભીર ઇજામાં ખાનગી દવાખાનામાં સારવાર કરાવીને ઘટના ઉપર પડદો પાડી દેવામાં આવે છે તેથી તેની માહિતી ઉપલબ્ધ થતી નથી.
મોટાભાગના અકસ્માતો ઉપરથી નીચે પડવાથી, માટીની ભેખડ ઘસી પડવાને કારણે,, ઈલેક્ટ્રીક કરંટ લાગવાને કારણે, ભારે વજન વળી વસ્તુઓ કામદારના માથે પડવાથી અને મશીનમાં શરીરના કોઈ અંગો ફસાઈ જવાને કારણે થતા હોવાનું જાણવા મળે છે. તમામ અકસ્માતો અટકાવી શકાય તેવા છે. કામદારોની સલામતી પ્રત્યે દાખવવામાં આવતી ઘોર બેદરકારીનું પરિણામ છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ દરમ્યાન કુલ ૮૬૧ બાંધકામ કામદારો અકસ્માતે મૃત્યુ પામ્યા હતા તેમાંથી ૩૭૪ મૃત્યુ પામેલા કામદારના વારસદારને રૂપિયા 3 લાખની સહાય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તફથી મળી શકી છે એટલે કે માત્ર ૪૩ ટકા પીડિત પરિવારને જ આ સહાય મળી છે.
---
*જનરલ સેક્રેટરી, બાંધકામ મજૂર સંગઠન
टिप्पणियाँ